23.5 C
Ahmedabad
Monday, March 2, 2026

અમેરિકાની તેના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ન કરવાની સલાહ :US


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. વિભાગે સુરક્ષા, ગુના, અશાંતિ, આતંકવાદ અને અપહરણના જોખમોને પ્રાથમિક કારણો ગણાવ્યા છે. 26 જાન્યુઆરીના રોજ જારી કરાયેલી અપડેટેડ ટ્રાવેલ એડવાઈઝરીમાં પાકિસ્તાનને લેવલ 3 શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. જે પ્રવાસીઓ માટે જોખમ દર્શાવે છે.

એડવાઈઝરી…પાકિસ્તાનમાં ગમે ત્યારે આતંકવાદી હુમલો થઈ શકે છે

અંગ્રેજી દૈનિક ડોનના અહેવાલ મુજબ,એડવાઈઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે પરિવહન કેન્દ્રો, હોટલો, બજારો, શોપિંગ મોલ, લશ્કરી અને સુરક્ષા મથકો, એરપોર્ટ, ટ્રેનો, શાળાઓ, હોસ્પિટલો, પૂજા સ્થાનો, પર્યટન સ્થળો અને સરકારી ઇમારતો અસુરક્ષિત છે.

ખૈબર પખ્તુનખ્વાના ભાગોને સૌથી ખતરનાક શ્રેણી, લેવલ 4 માં મૂકવામાં આવ્યા છે.યુએસ નાગરિકોને કોઈપણ કારણોસર ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

તે ચેતવણી આપે છે કે સરકારી અધિકારીઓ અને નાગરિકો સામે હત્યા અને અપહરણના પ્રયાસો પ્રાંતમાં સામાન્ય છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા હારનો સામનો કરનાર પાકિસ્તાની સેના પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે.સંરક્ષણ દળોના વડા (CDF) ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી.મુનીરે ભવિષ્યના યુદ્ધક્ષેત્રો અને સુરક્ષા પડકારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક ફેરફારો પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાની CDF એ પુનરોચ્ચાર કર્યો કે, તેઓ દેશની પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે તમામ જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.મુનીરે બહાવલપુર છાવણીની મુલાકાત દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી.તેમને કોર્પ્સના વિવિધ ઓપરેશન્સ અને તાલીમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં બહુ-પરિમાણીય યુદ્ધ તૈયારીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સૈનિકોને સંબોધતા, મુનીરે તેમના ઉચ્ચ મનોબળ અને વ્યાવસાયિકતાની પ્રશંસા કરી. “સશસ્ત્ર દળો પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -