અમેરિકન ખેડૂતોની ફરિયાદોથી ગુસ્સે ભરાયા ટ્રમ્પ..ભારતીય ચોખા અને કેનેડિયન ખાતર પર નવા ટેરિફ લાદવાનો સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ભારતમાંથી આયાત થતા ચોખા અને કેનેડાથી આયાત થતા ખાતર પર નવા ટેરિફ લાદી શકે છે.વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન ખેડૂતો માટે 12 અબજ ડોલરની નવી સહાયની જાહેરાત કર્યા બાદ આ નિવેદન આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આયાત થતા ચોખા અમેરિકન ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.તેમણે કહ્યું, “તેઓએ ડમ્પિંગ ન કરવું જોઈએ.આનું ધ્યાન રાખવામાં આવશે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૃષિ આયાત પર નવા ટેરિફ લાદવાનો સ્પષ્ટ સંકેત આપ્યો.. જેમાં સ્પષ્ટપણે ભારતીય ચોખા અને કેનેડિયન ખાતરનો સમાવેશ થઈ શકે છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ સંકેત અમેરિકન ખેડૂતોની ફરિયાદો પછી આવ્યો છે. જેના કારણે ટ્રમ્પે નવા ટેરિફ લાદવા માટે પ્રેરિત થયા છે.
- Advertisement -
- Advertisement -