પાકિસ્તાની મહિલાએ PM મોદીની માંગી મદદ..પતિએ છોડી દીધી, દિલ્હીમાં બીજા લગ્નની કરી તૈયારી
પાકિસ્તાનના કરાચીમાં રહેતી નિકિતા નાગદેવ માટે લગ્ન એક લાંબી કાનૂની અને ભાવનાત્મક કસોટી બની ગઈ છે. તેણીએ તેના પતિ પર પાકિસ્તાનમાં તેને છોડી દેવાનો અને દિલ્હીમાં કથિત રીતે બીજા લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે.નિકિતાએ 26 જાન્યુઆરી, 2020 ના રોજ કરાચીમાં લાંબા ગાળાના ભારતીય વિઝા પર રહેતા પાકિસ્તાની મૂળના વિક્રમ નાગદેવ સાથે હિન્દુ વિધિ અનુસાર લગ્ન કર્યા.
નિકિતા નાગદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં પાકિસ્તાની મહિલા પીએમ મોદી પાસે ન્યાયની વિનંતી કરતી જોવા મળે છે. તેણીનો આરોપ છે કે તેના પતિએ તેને કરાચીમાં ત્યજી દીધી હતી.હવે દિલ્હીમાં ફરીથી લગ્ન કરવાની તૈયારી કરી રહી છે.નિકિતા નાગદેવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો.જેમાં તેણી પીએમ મોદી પાસે ન્યાય માટે વિનંતી કરે છે.
નિકિતાએ જણાવ્યું કે, વિક્રમ તેણીને લગ્નના એક મહિના પછી 26 ફેબ્રુઆરી, 2020 ના રોજ ભારત લાવ્યો હતો. નિકિતાનો આરોપ છે કે 9 જુલાઈ, 2020 ના રોજ, તેને અટારી બોર્ડર પર લઈ જવામાં આવી હતી.વિઝા ટેક્નિકલ કારણોસર પાકિસ્તાન પાછી મોકલી દેવામાં આવી હતી.કરાચીથી એક ભાવનાત્મક વીડિયો સંદેશમાં, નિકિતાએ કહ્યું, “હું તેને ભારત બોલાવવા માટે વારંવાર વિનંતી કરતી રહી.. પરંતુ તેણે દર વખતે ના પાડી.”
નિકિતાએ આરોપ લગાવ્યો કે લગ્ન પછી તરત જ તેના સાસરિયાઓનું વર્તન બગડ્યું. તેણીએ કહ્યું, “જ્યારે હું પાકિસ્તાનથી મારા સાસરિયાના ઘરે પાછી આવી ત્યારે તેમનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું.” નિકિતાએ આરોપ લગાવ્યો કે તેણીને ખબર પડી કે તેના પતિને તેના એક સંબંધી સાથે અફેર છે.જ્યારે તેણીએ તેના સસરાને આ વિશે કહ્યું, ત્યારે તેણે કહ્યું, “છોકરાઓનાં અફેર હોય છે..કંઈ કરી શકાતું નથી.”
નિકિતાએ એવો પણ દાવો કર્યો હતો કે COVID-19 લોકડાઉન દરમિયાન વિક્રમે તેના પર પાકિસ્તાન પાછા ફરવા માટે દબાણ કર્યું હતું અને ત્યારથી તેણે ભારતમાં તેના પુનઃપ્રવેશને અવરોધિત કર્યો છે. કરાચી પહોંચ્યા પછી, નિકિતાને ખબર પડી કે તેનો પતિ, વિક્રમ, કાયદેસર રીતે પરિણીત હોવા છતાં, દિલ્હીની બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે.
નિકિતાએ 27 જાન્યુઆરી,2025 ના રોજ લેખિત ફરિયાદ દાખલ કરી હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા અધિકૃત સિંધી પંચ મધ્યસ્થી અને કાનૂની સલાહકાર કેન્દ્રએ આ મામલો ઉઠાવ્યો હતો.વિક્રમ અને તેની સાથે સગાઈ થયેલી મહિલાને નોટિસ જારી કરવામાં આવી હતી.. અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી.. પરંતુ મધ્યસ્થીનો કોઈ ઉકેલ આવ્યો ન હતો.
સિંધી પંચ કેન્દ્રે 30 એપ્રિલ, 2025ના રોજ તેના અહેવાલમાં તારણ કાઢ્યું હતું કે નિકિતા કે વિક્રમ બંને ભારતીય નાગરિક ન હોવાથી આ વિવાદ પાકિસ્તાનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. જોકે, કેન્દ્રએ વિક્રમને પાકિસ્તાન મોકલવાની ભલામણ કરી હતી.
મે 2025 ની શરૂઆતમાં નિકિતાએ ઇન્દોર સામાજિક પંચાયતનો સંપર્ક કર્યો હતો..જેણે વિક્રમને મોકલવાની પણ ભલામણ કરી હતી.ઇન્દોરના કલેક્ટર આશિષ સિંહે પાછળથી પુષ્ટિ કરી હતી કે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.તારણો પર આધારિત કાર્યવાહી કરવામાં આવશે.
જો આજે ન્યાય નહીં મળે, તો મહિલાઓ ન્યાયમાંથી વિશ્વાસ ગુમાવી દેશે.હું દરેકને મારી સાથે ઉભા રહેવા વિનંતી કરું છું,” નિકિતાએ તેના ભાવનાત્મક વીડિયોમાં ન્યાયની માંગણી કરતા કહ્યું હતુ..
- Advertisement -
- Advertisement -