આજે સરદાર પટેલની 150મી જન્મજયંતિ: વડાપ્રધાન મોદી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રને કરશે સંબોધન
એક કૃતજ્ઞ રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સંકલ્પને સમર્પિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચ્યા છે.પીએમ મોદી આજે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રને સંબોધન પણ કરશે. ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબર, સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે.આ પ્રસંગે, રાષ્ટ્ર નિર્માણમાં લોખંડી પુરુષના યોગદાનને યાદ કરવા માટે દેશના ઘણા ભાગોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગુરુવારે એકતા નગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેવડિયામાં લોખંડી પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.તેમણે મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પીએમ મોદીએ લખ્યું, “કેવડિયામાં સરદાર પટેલના પરિવારને મળ્યો.” તેમની સાથે વાત કરીને અને આપણા દેશ માટે સરદાર પટેલના અપાર યોગદાનને યાદ કરીને આનંદ થયો.
વડાપ્રધાનએ એકતાનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી.તેમણે આ પ્રસંગે ઈ-બસોના કાફલાને પણ લીલી ઝંડી બતાવી.
કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ₹1,220 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન ગુજરાતની બે દિવસીય મુલાકાત માટે ગુરુવારે સાંજે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા.ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે એકતા નગર પહોંચ્યા હતા.
- Advertisement -
- Advertisement -