26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

ચીની વિદ્વાનોએ ભગવદ ગીતાને “જ્ઞાનનું અમૃત”,ગણાવ્યું..કહ્યું આધુનિક જીવન માટે એક અમૂલ્ય માર્ગદર્શિકા


ચીની વિદ્વાનોએ ભગવદ ગીતાને “જ્ઞાનનું અમૃત” કહી છે. ભારતીય સભ્યતાનો સંક્ષિપ્ત ઇતિહાસ અને આધુનિક વિશ્વના લોકોની આધ્યાત્મિક અને ભૌતિક સમસ્યાઓના ઉકેલનો સ્ત્રોત ગણાવ્યો હતો.ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત “સંગમ – ભારતીય દાર્શનિક પરંપરાઓનો સંગમ” નામના પરિસંવાદમાં આ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

ભગવદ ગીતાનો ચીની ભાષામાં અનુવાદ

આ પરિસંવાદમાં મુખ્ય વક્તા 88 વર્ષીય પ્રોફેસર ઝાંગ બાઓશેંગ હતા. જેમણે ભગવદ ગીતાનો ચીની ભાષામાં અનુવાદ કર્યો છે.તેમણે ગીતાને ભારતના દાર્શનિક જ્ઞાનકોશ અને આધ્યાત્મિક મહાકાવ્ય તરીકે વર્ણવી હતી. જેનો આજે પણ ભારતીય જીવન પર ઊંડો પ્રભાવ છે.પ્રોફેસર ઝાંગે કહ્યું કે 1984-86 દરમિયાન ભારતની તેમની મુલાકાત દરમિયાન તેમણે દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણની હાજરી અનુભવી.

ગીતાએ પ્રાચીન ભારતીય યુદ્ધભૂમિ પરનો સંવાદ છે.

સેન્ટર ફોર ઓરિએન્ટલ ફિલોસોફી રિસર્ચના ડિરેક્ટર પ્રો. ઝાંગ બાઓશેંગે જણાવ્યું હતું કે:વાંગ ઝી-ચેંગે જણાવ્યું કે 5,000 વર્ષ પહેલાંના પ્રાચીન ભારતીય યુદ્ધભૂમિમાંથી સંવાદ ગીતા આજે પણ આધુનિક જીવનની મુશ્કેલીઓ અને ચિંતાઓનો ઉકેલ આપે છે. તેમણે ગીતાના ત્રણ મુખ્ય ઉપદેશો: કર્મ યોગ, સાંખ્ય યોગ અને ભક્તિ યોગને આધુનિક જીવન માટે માર્ગદર્શક તરીકે વર્ણવ્યા હતા.શેનઝેન યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝના પ્રોફેસર યુ લોંગ્યુએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિનો ગહન દાર્શનિક અને સાંસ્કૃતિક વારસો અભ્યાસ કરવા યોગ્ય છે અને ચીની વિદ્વાનોએ તેને સમર્પણ સાથે શીખવો જોઈએ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -