રાજસ્થાન: જેસલમેરમાં એક ચાલતી બસમાં આગ લાગી;15 થી વધુ લોકો જીવતા બળી ગયા,CM એ શોક વ્યક્ત કર્યો
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે એક ભયાનક અકસ્માત થયો હતો જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી. આ ઘટના યુદ્ધ સંગ્રહાલય પાસે બની. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 15થી વધુ લોકો જીવતા બળી ગયા હતાં.ત્રણ બાળકો અને ત્રણ મહિલાઓ સહિત 20 થી વધુ લોકો દાઝી ગયા હતાં.બસમાં કુલ 57લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. જ્વાળાઓ અને ધુમાડો ખૂબ ઉંચાઈએ પહોંચ્યો હતો. જેના કારણે ગભરાટ ફેલાયો હતો.
આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા મુસાફરો બચી શક્યા નહીં. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ઘાયલોને તાત્કાલિક ત્રણ એમ્બ્યુલન્સમાં જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બસમાં આગ લાગવાથી ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો..
મુખ્યમંત્રી ભજન લાલે શોક વ્યક્ત કર્યો
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જેસલમેર બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. કલેક્ટર અને એસપી સાથે ફોન પર વાત કરતા મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પીડિતોને શક્ય તેટલી બધી સહાય આપવાનો નિર્દેશ આપ્યો. તેમણે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર મેળવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
- Advertisement -
- Advertisement -