26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

પત્રકારો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી;સોશિયલ મીડિયાને ગણાવ્યા દેશના દુશ્મન


પાકિસ્તાનમાં એક સરકારી જાહેરાતે રાજકીય ગરમાવો ફેલાવ્યો..પાકિસ્તાન સરકારે અડધા પાનાની જાહેરાત પ્રકાશિત કરી હતી.જેમાં પત્રકારો,ફ્રીલાન્સર્સ,NGO કાર્યકરો અને નાગરિક સમાજના સભ્યોને “દુશ્મન પ્રચાર” ફેલાવતા ગણાવ્યા હતા..આ જાહેરાતથી પ્રેસ સ્વતંત્રતા અને માનવાધિકાર કાર્યકરોમાં વ્યાપક રોષ ફેલાયો છે.

1 અને 2 ઓક્ટોબરના રોજ અનેક મુખ્ય અખબારોમાં પ્રકાશિત થયેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે આજના યુદ્ધના મેદાનો બંદૂકોથી નહીં.પરંતુ માહિતીથી લડવામાં આવે છે.જાહેરાતમાં કહેવામાં આવ્યું કે,આજના દુશ્મન બંદૂકોને બદલે માહિતીનો ઉપયોગ કરે છે..આ દુશ્મન ક્યારેક પત્રકારો,NGO કાર્યકરો અથવા ફ્રીલાન્સર્સ તરીકે પોતાને રજૂ કરી શકે છે..આ દ્વારા તેઓ સંવેદનશીલ માહિતી મેળવી શકે છે.ભય અને અશાંતિ ફેલાવી શકે છે.

મીડિયા સંગઠનો જાહેરાતની ટીકા કરે છે

ફ્રીડમ નેટવર્ક,એક મીડિયા સંગઠને જાહેરાતની આકરી ટીકા કરી છે.એવું પણ કહેવામાં આવ્યું કે, આ જાહેરાત પત્રકારો અને નાગરિક સમાજના સભ્યોને જોખમમાં મૂકે છે.કારણ કે, તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે.

માનવાધિકાર પંચ પાકિસ્તાન (HRCP), મહિલા એક્શન ફોરમ (લાહોર), શિરકત ગા, સાઉથ એશિયા પાર્ટનરશિપ-પાકિસ્તાન, સિમોર્ગ અને CLASS જેવા માનવાધિકાર સંગઠનોએ પણ આ જાહેરાતની નિંદા કરી.તે બધાએ જણાવ્યું કે,આ જાહેરાત પાકિસ્તાનમાં સ્વતંત્રતાના પહેલાથી જ ઘટતા અવાજોને વધુ દબાવી દે છે.

શું કહે છે નિષ્ણાતો ?

આ જાહેરાત એવા સમયે આવી છે,જ્યારે સરકારે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા પર કડક દેખરેખ શરૂ કરી છે. ખાસ કરીને વિપક્ષી નેતાની કેદ પછી અધિકાર હિમાયતીઓ ચિંતિત છે કે, આ જાહેરાત પત્રકારો અને NGO પર હુમલાઓ વધારી શકે છે અને તેમના અવાજોને દબાવી શકે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે સરકાર દ્વારા સ્વતંત્ર અવાજોને “દુશ્મન” તરીકે લેબલ કરવાથી લોકશાહી અધિકારો માટે ખતરો વધશે અને લોકો ભયથી સત્ય બોલતા ડરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -