ખેડૂતો માટે ખુશખબર ! રખિયાલ ખાતે ખેડૂતોને 20માં હપ્તાનો લાભ આપવામાં આવ્યો
ગાંધીનગર જિલ્લાના દેહગામના રખિયાલ ખાતે “પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ GATL KSK RAKHIYAL મુકામે ખેડૂતો ને 20માં હપ્તાનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતાં..જ્યાં આશરે 2,200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
PM કિસાન 20મો હપ્તો PM મોદીએ વારાણસીના 9.70 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો મોકલી દીધો છે. આ વખતે ખેડૂતોના ખાતામાં 20,500 કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. 9 કરોડ 70 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. તેમણે તેમના સંસદીય ક્ષેત્રમાં અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને કાશીના વિકાસને વેગ આપ્યો હતો.
વર્ષ 2019માં આ યોજના શરૂ થયા બાદ 19 હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં 3.69 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા..
- Advertisement -
- Advertisement -