“નેનો યુરિયા”નો વિકાસ કૃષિ માટે ગેમ ચેન્જર છે – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે “નેનો યુરિયા”નો વિકાસ કૃષિ માટે ગેમ ચેન્જર છે..કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નેનો યુરિયાના વિકાસની એક રસપ્રદ વાર્તા શેર કરી છે.
મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા ‘X’ પ્લેટફોર્મ પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે, તે સમયે તેઓ ખાતર મંત્રી હતા. આ આખી યાત્રા એક વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલા સૂચનથી શરૂ થઈ હતી. વૈજ્ઞાનિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે છે..ત્યારબાદ PM મોદીએ વૈજ્ઞાનિકને મંત્રી મનસુખ માંડવિયાને મળવાનું સૂચન કર્યું હતું.
માંડવિયાએ વધુમાં સમજાવ્યું કે, વૈજ્ઞાનિકે મીટિંગ દરમિયાન નેનો યુરિયાનો વિચાર શેર કર્યો હતો. વૈજ્ઞાનિકે જણાવ્યું કે, 500 મિલી નેનો યુરિયા બોટલ પરંપરાગત યુરિયા બોરી જેટલી હોય છે.આ વિચારની સૌથી મોટી ખાસિયત એ હતી કે, તે માત્ર ખાતરની માત્રામાં ઘટાડો કરશે નહીં.. પરંતુ તેના પરિવહન, સંગ્રહ અને વિતરણનો ખર્ચ પણ ઘણો ઘટાડશે. એટલું જ નહીં પર્યાવરણ અને માટીના સ્વાસ્થ્ય માટે પણ આ એક સારો વિકલ્પ છે.
માંડવિયાએ આ વિચારને આગળ ધપાવ્યો અને IFFCO કંપની સાથે વૈજ્ઞાનિકો સાથે જોડાયા અને વિશ્વનો પહેલો નેનો યુરિયા તૈયાર કરવામાં આવ્યો. આજે ભારતે દરરોજ 2 થી 3 લાખ નેનો યુરિયા બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી છે. ખેડૂતોએ પણ તેને ધીમે ધીમે અપનાવવાનું શરૂ કર્યું છે..હવે આ નવીનતાની માત્ર ભારતમાં જ નહીં.. પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.નેનો યુરિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે,, તે પરંપરાગત રાસાયણિક ખાતરોની તુલનામાં માટીને નુકસાન કરતું નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે,, વડાપ્રધાન મોદી હંમેશા ભાર મૂકે છે કે,, “ધરતી માતા”નું રક્ષણ કરવું આપણી ફરજ છે. આ દિશામાં નેનો યુરિયા, નેનો DAP અને કુદરતી ખેતી જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં નેનો ટેકનોલોજીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા X પર મોદી સ્ટોરી એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.પોસ્ટમાં એ પણ ઉલ્લેખ છે કે, તે બધું એક યુવાન મનના સૂચનથી શરૂ થયું હતું.. જેણે પીએમ મોદી સાથે પોતાનો વિચાર શેર કર્યો હતો..જે એક અસાધારણ નવીનતામાં ફેરવાઈ ગયો અને નેનો યુરિયાના વિકાસ તરફ દોરી ગયો. તેની ક્ષમતાને ઓળખીને, પીએમ મોદીએ આ વિચારને અમલમાં મૂક્યો. આગળ જે બન્યું તે ઐતિહાસિક હતું. 100 મિલી નેનો યુરિયા બોટલ હવે યુરિયાની આખી બોરીને બદલે છે.. જે પરિવહન ખર્ચ ઘટાડે છે… માટીનું રક્ષણ કરે છે અને ખેડૂતોને મદદ કરે છે. પોસ્ટ સમજાવે છે કે જ્યારે યુવા વિચારો અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ આ રીતે એક સાથે આવે છે.. ત્યારે તે પરિવર્તનશીલ પહેલમાં ફેરવાય છે.
- Advertisement -
- Advertisement -