વિભુ રાઘવના અંતિમ સંસ્કારમાં સ્ટાર્સ પહોંચ્યા,મોહિત મલિક સહિત ઘણા સેલેબ્સ તેમને યાદ કર્યા

પ્રખ્યાત ટીવી સ્ટાર વિભુ રાઘવનું 2 જૂને મુંબઈમાં અવસાન થયું હતુ… તેઓ ‘નિશા અને ઉસકે કઝિન’ જેવા ટીવી શો માટે જાણીતા છે.તેમના મૃત્યુથી સમગ્ર ટીવી જગત આઘાતમાં છે. અભિનેતા લાંબા સમયથી ચોથા સ્ટેજના કેન્સર સામે લડી રહ્યા હતા. મંગળવારે બપોરે તેમના અંતિમ સંસ્કાર થયા…જ્યાં ઘણા ટીવી સ્ટાર્સ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી..
વિભુ રાઘવના અંતિમ સંસ્કાર સમયે તેમની માતાની હાલત ખૂબ જ ખરાબ હતી. તેઓ ખૂબ રડી રહ્યા હતા. પરિવારના સભ્યો તેમને સંભાળતા જોવા મળ્યા હતા.. નકુલ મહેતા, મોહિત મલિક, મોહસીન ખાન, અનીરી વાજાણી અને અંજલી આનંદ જેવા ટીવી કલાકારો પણ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા..બધાએ ભીની આંખો સાથે વિભુને વિદાય આપી હતી…આ ઉપરાંત ઘણા કલાકારો હતા…જેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિભુને શ્રદ્ધાંજલિ આપી હતી..
સૌમ્યા ટંડને ભાવનાત્મક પોસ્ટ લખી હતી…
અભિનેત્રી સૌમ્યા ટંડને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા વિભુ રાઘવને શ્રદ્ધાંજલિ આપી છે. તેણીએ લખ્યું, ‘મારો સુંદર મિત્ર વિભુ રાઘવ હવે દેવદૂતો સાથે છે. તે ગઈકાલે રાત્રે આપણને છોડીને ચાલ્યો ગયો. વિભુ તું સુંદર હતો..અંદરથી અને બહારથી. તેં મને શીખવ્યું કે બધું તૂટી રહ્યું હોય ત્યારે પણ કેવી રીતે હસવું. દુનિયા અંધારામાં હોય ત્યારે પ્રકાશને કેવી રીતે પકડી રાખવો…તું અંત સુધી યોદ્ધા હતી..
ટીવી અભિનેતા કેન્સર સામેની લડાઈ હારી ગયા
વૈભવ કુમારસિંહ રાઘવ ઉર્ફે વિભુ લાંબા સમયથી સ્ટેજ 4 કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા…તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા..પરંતુ તમામ પ્રયાસો છતાં તેઓ આ રોગમાંથી સ્વસ્થ થઈ શક્યા નહીં. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ જીવલેણ રોગ સામે ઝઝૂમી રહ્યા હતા…તેમને 2022 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું,..ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર તેમની સમગ્ર તબીબી સફર શેર કરી હતી…વિભુએ પોતાની પોસ્ટ્સમાં ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ જીવનના દરેક વળાંક પર આશા રાખે છે.. પછી ભલે તે કીમોથેરાપી હોય કે વૈકલ્પિક સારવાર.
- Advertisement -
- Advertisement -