મિઝોરમમાં પાંચ ઘર અને હોટલ ધરાશાયી, ઘણા લોકોના મોતની આશંકા, આસામમાં પણ પાંચ લોકોના મોત
દેશમાં સમય પહેલા પહોંચેલું ચોમાસું ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં મિઝોરમમાં ભારે વરસાદને કારણે ઘણા ઘરો ધરાશાયી થયા છે. ઘણા લોકોના મોતની પણ આશંકા છે. આસામમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંચ લોકોના મોત પણ થયા છે. સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય સહિત ઘણા રાજ્યો વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
દક્ષિણ મિઝોરમના લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે પાંચ ઘર અને એક હોટલ ધરાશાયી થયા બાદ અનેક લોકોના મોતની આશંકા છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે લોંગટલાઈના બજાર વેંગ અને ચાંદમારી વિસ્તારના સરહદી વિસ્તારમાં બની હતી, જ્યારે ભૂસ્ખલન ઘરો અને હોટલ પર અથડાયું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે,હોટલમાં રહેતા મ્યાનમારના ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે લોંગટલાઈ જિલ્લાના સૌથી મોટા નાગરિક સામાજિક સંગઠન યંગ લાઈ એસોસિએશન (YLA) ના સ્વયંસેવકો સાથે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SRDF) અને 3જી ભારતીય રિઝર્વ બટાલિયનના કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે ગુવાહાટી શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ યથાવત છે. બીજી તરફ, સિક્કિમમાં ભારે વરસાદને કારણે તીસ્તા નદીમાં પૂર આવ્યું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
આસામમાં પાંચ લોકોના મોત
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) અનુસાર, છેલ્લા 24 કલાકમાં કામરૂપ (મેટ્રો) જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓને કારણે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આજે સવારના અહેવાલ મુજબ, શહેરી પૂરથી કુલ 3 જિલ્લાઓ અને 5 મહેસૂલ વર્તુળો પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કામરૂપ, કામરૂપ (મેટ્રો) અને કચરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 10,150 લોકો પ્રભાવિત થયા છે.
- Advertisement -
- Advertisement -