પ્રાંતિજ : મામલતદાર કચેરીમાં કરાર આધારિત સેવક 2000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

સાંબરકાંઠાના પ્રાંતિજ મામલતદાર કચેરીમાં કરાર આધારિક સેવક રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા સર્વે નંબરની જૂની નોંધો કાઢી આપવા મામલે રૂપિયા 2000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો..
એક વ્યક્તિને સર્વે નંબરની જૂની નોંધોની જરૂર હોવાથી ઇ-ધરા મામલતદાર કચેરીમાં સેવક રાજેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો…જો કે આ નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.જેથી ગુરુવારે એસીબીએ છટકું ગોઠવીને સેવકને લાંચ લેતા ઝડપી પાડયો હતો..એસીબીએ અધિકારી એમ.એમ.સોલંકી તેમજ એ.કે.પરમારના નેતૃત્વમાં કાર્યવાહી કરી હતી..એસીબીએ સેવક રાજેન્દ્રસિંહની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
- Advertisement -
- Advertisement -