આજે એકાદશી પર રામ મંદિરમાં રામ દરબારની સ્થાપના થશે..જયપુરથી આવી મૂર્તિ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પદાધિકારી ટ્રસ્ટી અને મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષે બીજા પ્રાણ-પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓની પ્રગતિની સમીક્ષા કરી.તેમણે તમામ તૈયારીઓની ભૌતિક પ્રગતિનું અવલોકન કર્યું..ત્યારબાદ બાંધકામ એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને બાંધકામ કાર્ય પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી. રામ મંદિરના પહેલા માળે રામ દરબાર ઉપરાંત, પરકોટાના છ મંદિરો અને સપ્ત મંડપમના સાત મંદિરોમાં વિવિધ મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ 3 જૂનથી શરૂ થશે..જયારે 5 જૂને પ્રતિષ્ઠા કરવામાં આવશે.
રામ દરબાર અને શિવાલય માટે ભગવાન નરવદેવેશ્વરની મૂર્તિ સિવાય બાકીના તમામ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે..યાત્રાધામ વિસ્તારના જવાબદાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, રામ દરબારની મૂર્તિ 23 મે, શુક્રવાર, જેઠ કૃષ્ણ એકાદશીના રોજ સ્થાપિત થવાની છે. આ માટે, રામ દરબારની મૂર્તિ જયપુરથી અયોધ્યા મોકલવામાં આવી છે..શિલ્પકાર સત્ય નારાયણ પાંડે પોતે પ્રતિમા લઈને અયોધ્યા આવ્યા હતા.. આ પહેલા પણ અહીં ભગવાન નરવદેવેશ્વરની મૂર્તિ લાવવામાં આવી છે.
જો સૂત્રોનું માનીએ તો, શુક્રવારે રામ દરબારની સાથે ભગવાન નરવદેવેશ્વરની પણ સ્થાપના કરવામાં આવશે. આ વાતની પુષ્ટિ L&T પ્રોજેક્ટ ડિરેક્ટરે કરી હતી.પ્રાણ-પ્રતિષ્ઠા સંબંધિત તમામ કાર્યોને નિર્ધારિત સમયમાં પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.આ બેઠકમાં તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય, મંદિર બાંધકામ પ્રભારી ગોપાલ રાવ, સીબીઆરઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ એ.કે. મિત્તલ, મંદિરના આર્કિટેક્ટ આશિષ સોમપુરા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.કળશને સોનાથી શણગારવામાં આવ્યો હતો..
- Advertisement -
- Advertisement -