ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત, CSKનો યુવા સ્ટાર બન્યો કેપ્ટન, વૈભવને મળ્યું સ્થાન

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય અંડર-19 ટીમ આ પ્રવાસમાં કુલ આઠ મેચ રમશે.ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે એક વોર્મ-અપ મેચ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે. આ શ્રેણી 24 જૂનથી શરૂ થશે. ભારતીય અંડર-19 ટીમની કમાન ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને સોંપવામાં આવી છે.14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. આ બંનેએ આ સિઝનમાં IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વૈભવે સદી ફટકારી હતી..
બીસીસીઆઈના સચિવ દેવજીત સાકિયાએ કરી જાહેરાત..
બીસીસીઆઈએ ગુરુવારે એક પ્રેસ રિલીઝમાં ટીમની જાહેરાત કરી. BCCI એ કહ્યું, ‘જુનિયર ક્રિકેટ સમિતિએ 24 જૂનથી 23 જુલાઈ સુધીના ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની પસંદગી કરી છે.’ આ પ્રવાસમાં 50 ઓવરની પ્રેક્ટિસ મેચ, ત્યારબાદ પાંચ મેચની યુવા ODI શ્રેણી અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમો સામે બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે. મુંબઈના વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુને મ્હાત્રેના સ્થાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
વૈભવ માટે IPLનો સમય ખૂબ જ સારો રહ્યો..
રાજસ્થાન રોયલ્સ સાથે શાનદાર ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન બાદ વૈભવની પસંદગી કરવામાં આવી છે. બિહારના સમસ્તીપુરના આ યુવા ખેલાડીએ IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બનીને સમગ્ર દેશનું દિલ જીતી લીધું હતું. તેણે ગત મહિને ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી..જે લીગમાં બીજી સૌથી ઝડપી સદી હતી. તેણે બિહાર માટે પાંચ ફર્સ્ટ-ક્લાસ મેચ અને છ લિસ્ટ A મેચ રમી છે.. પરંતુ તેમાંથી કોઈ પણમાં સદી ફટકારી નથી. વૈભવે ગત વર્ષે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની પ્રથમ યુવા ટેસ્ટમાં સદી ફટકારી હતી.
કેરળના લેગ સ્પિનર અન્નાને પણ સ્થાન મળ્યું
17 વર્ષીય મ્હાત્રેએ નવ ફર્સ્ટ-ક્લાસ મેચ અને સાત લિસ્ટ A મેચ રમી છે.. જેમાં તેણે 962 રન બનાવ્યા છે. કોણીની ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ સીઝનના મધ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું સ્થાન આ ઓપનરે લીધું હતું. બીજી રસપ્રદ પસંદગી કેરળના લેગ-સ્પિનર મોહમ્મદ અન્નાનની છે.. જેમણે ગત વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે પ્રભાવ પાડ્યો હતો. અન્નાને ઓસ્ટ્રેલિયન ટીમ સામેની બે યુવા ટેસ્ટમાં 16 વિકેટ લીધી.. અને તે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. પંજાબના ઓફ સ્પિનર અનમોલજીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમઃ આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, પ્રવિણેન્દ્ર રાણા, પ્રવિણ રાણા, પ્રવિણ પટેલ, પ્રવિણ પટેલ. અનમોલજીત સિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).
- Advertisement -
- Advertisement -