જનતાએ અરીસો બતાવ્યો: ખાલિસ્તાન સમર્થક નેતા જગમીત સિંહની કેનેડામાં કારમી હાર.. NDP એ પણ પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો

કેનેડાની સામાન્ય ચૂંટણીમાં જનતાએ ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહને અરીસો બતાવી દીધો છે. ચૂંટણીમાં તેમના પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.. 12 બેઠકો ન મળતાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ પણ પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો છે. ખાસ વાત એ છે કે પાર્ટીના વડા જગમીત સિંહ પણ પોતાની સીટ પરથી ચૂંટણી હારી ગયા છે.
ચૂંટણી પરિણામોના વલણો બહાર આવ્યા બાદ ખાલિસ્તાન તરફી અને NDPના વડા જગમીત સિંહે જાહેરાત કરી છે કે,, કેનેડાની ફેડરલ ચૂંટણીમાં તેમની પાર્ટીનો ટેકો ઘટ્યા બાદ અને તે પોતાની બેઠક ગુમાવ્યા બાદ તેઓ પદ છોડી દેશે. જગમીત સિંહ 2019 થી હાઉસ ઓફ કોમન્સમાં બર્નાબી સેન્ટ્રલ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ આ બેઠક પર પ્રથમ સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચ્યા છે. સામાન્ય ચૂંટણીમાં NDP એ પોતાનો સત્તાવાર દરજ્જો પણ ગુમાવ્યો હતો…કારણ કે તે જરૂરી 12 બેઠકો મેળવવામાં નિષ્ફળ ગયું છે…
જગમીત સિંહે કહ્યું કે,, એનડીપીનું નેતૃત્વ કરવું અને બર્નાબી સેન્ટ્રલના લોકોનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનનો સૌથી મોટો સન્માન રહ્યું છે..વડાપ્રધાન કાર્ને અને અન્ય તમામ નેતાઓને સખત મહેનતભર્યા અભિયાન માટે અભિનંદન. મને ખબર છે કે,, આ રાત ન્યૂ ડેમોક્રેટ્સ માટે નિરાશાજનક છે. હું નિરાશ છું કે આપણે વધુ બેઠકો જીતી શક્યા નહીં…પણ હું મારી હિલચાલથી નિરાશ નથી… હું મારા પક્ષ માટે આશાવાદી છું. હું જાણું છું કે આપણે હંમેશા ડર કરતાં આશાને પસંદ કરીશું.
જગમીત સિંહ ખાલિસ્તાનના પ્રખર સમર્થક રહ્યા છે અને કેનેડામાં ખાલિસ્તાની કાર્યકરો વતી ઘણીવાર અવાજ ઉઠાવતા રહ્યા છે.. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને તેમની લિબરલ પાર્ટી સત્તામાં રહે તેવી અપેક્ષા છે..ફેડરલ ચૂંટણીમાં લિબરલ પાર્ટી સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો જીતી ગઈ હતી..
- Advertisement -
- Advertisement -