બોકારોમાં રૂપિયા એક કરોડનું ઈનામ ધરાવતો નક્સલવાદી માર્યો ગયો

બોકારોમાં આઠ નક્સલીઓ માર્યા ગયા છે…જેમાં એક નક્સલીના માથે રૂપિયા એક કરોડનું ઇનામ હતું. સોમવારે બોકારો જિલ્લાના લાલપાનિયાના લુગુ ટેકરી પર સુરક્ષા દળો અને પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુલ આઠ નક્સલીઓમાં પ્રયાગ માંઝી ઉર્ફે વિવેક જેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું.. અરવિંદ યાદવ જેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું.. અને સાહેબ રામ માંઝી, જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું..
નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા ગણાવી છે. સોમવારે બપોરે પોલીસ મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદમાં ડીજીપીએ જણાવ્યું કે ગઈકાલે ચાઈબાસામાં નક્સલી હુમલામાં આપણો સૈનિક શહીદ થયો હતો. સુરક્ષા દળોએ તેમની શહાદતને વ્યર્થ જવા દીધી નહીં અને સમાજ અને વ્યવસ્થાના દુશ્મનો, આઠ નક્સલીઓને એક સાથે ઠાર માર્યા. તેમણે નક્સલીઓને ચેતવણી આપી કે તેઓ આત્મસમર્પણ કરે નહીંતર ગોળી મારવા માટે તૈયાર રહે. હવે અમારું સંપૂર્ણ ધ્યાન ચૈબાસામાં નક્સલવાદીઓને ખતમ કરવા પર રહેશે. ખૂબ જ ટૂંક સમયમાં ઝારખંડ સંપૂર્ણપણે નક્સલ મુક્ત થઈ જશે.
લાલપાનિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા લુગુ ટેકરી અને તેની તળેટીના જંગલ વિસ્તારમાં વહેલી સવારે સીઆરપીએફ અને પોલીસ દળની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન પર ગઈ હતી. સવારે 4 વાગ્યે, લાલપાણીને અડીને આવેલા ચોરગાંવના સોસો ટોલા નજીકના જંગલમાં છુપાયેલા નક્સલીઓએ પોલીસ અને સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો… સૈનિકોએ પણ જવાબદારી સંભાળી અને ગોળીબારનો જવાબ આપ્યો હતો. જંગલમાં શોધખોળ દરમિયાન આઠ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી ચાર INSAS રાઈફલ, એક SLR અને એક રિવોલ્વર મળી આવી હતી..
- Advertisement -
- Advertisement -