કોણ છે રામપાલ કશ્યપ ? 14 વર્ષ અગાઉ જૂતા ન પહેરવાની લીધી હતી પ્રતિજ્ઞા..પીએમ મોદીએ પહેરાવ્યા જૂતા

રામપાલ કશ્યપ હરિયાણાના કૈથલ જિલ્લાનો રહેવાસી છે…તેઓએ આશરે 14 વર્ષ પહેલા જૂતા ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી..જયાં સુધી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન બને અને તેમને રુબરુ ન મળે ત્યાં સુધી તેઓ જૂતા પહેરશે નહી..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નગર ખાતે રામપાલ કશ્યપને મળીને તેમના હાથે જૂતા પહેરાવીને રામપાલ કશ્યપનું સન્માન કર્યું હતુ..આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતુ..મોદીએ કહ્યું કે તેઓ એવા લોકોનો ખૂબ ખૂબ આભારી છે..જેઓએ આટલા લાંબા સમય સુધી પોતાની વાત પર અડગ રહ્યાં..વડાપ્રધાન મોદીએ કહ્યું કે શપથ લીધા બાદ જૂતા ન પહેરવાને બદલે સામાજિક કાર્ય અને રાષ્ટ્ર નિર્માણમાં સામેલ થઇને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઇએ…
- Advertisement -
- Advertisement -