લક્ઝરી વેશ્યાલય કૌભાંડમાં ફસાયેલા ભારતીય CEO, સેક્સ સર્વિસ માટે પ્રતિ કલાક કરતો હતો રૂપિયા 50 હજારનો ખર્ચો
ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક અને સ્વચ્છ પાણીના સ્ટાર્ટઅપ ગ્રેડિયન્ટના સહ-સ્થાપક અને સીઈઓ, અનુરાગ બાજપેયી એક હાઇ-પ્રોફાઇલ લક્ઝરી વેશ્યાગૃહ કૌભાંડમાં ફસાયા છે. અમેરિકાના બોસ્ટનમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાએ કોર્પોરેટ જગતને હચમચાવી નાખ્યું છે. ન્યૂયોર્ક પોસ્ટ અને વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલો અનુસાર, બોસ્ટન-એરિયા કોર્ટના દસ્તાવેજોમાં નામ આપવામાં આવેલા 30 થી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓમાં બાજપેયીનો સમાવેશ થાય છે. આ લોકો પર હાર્વર્ડ યુનિવર્સિટી નજીક લક્ઝરી એપાર્ટમેન્ટમાં કાર્યરત વેશ્યાલયમાં સેક્સ સેવાઓ માટે પ્રતિ કલાક સેંકડો ડોલર (લગભગ 50,000 રૂપિયા) ચૂકવવાનો આરોપ છે.
આ મામલો નવેમ્બર 2023 માં પ્રકાશમાં આવ્યો હતો.. જ્યારે યુએસ અધિકારીઓએ બોસ્ટન અને આસપાસના વિસ્તારોમાં એક ગુપ્ત અને ખાસ વેશ્યાલય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.. આ નેટવર્ક કેમ્બ્રિજ, વોટરટાઉન, ડેધમ અને પૂર્વીય વર્જિનિયામાં આવેલા ઉચ્ચ કક્ષાના એપાર્ટમેન્ટ્સમાંથી સંચાલિત થઈ રહ્યું હતું. “આ કોમર્શિયલ સેક્સ રિંગ ગુપ્તતા અને વિશિષ્ટતા પર બનાવવામાં આવી હતી.. જે શ્રીમંત અને પ્રભાવશાળી ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે…” ભૂતપૂર્વ યુએસ એટર્ની જોશુઆ લેવીએ તે સમયે જણાવ્યું હતું.
અનુરાગ બાજપેયી પર આ વેશ્યાલયમાં ઘણી વખત સેવાઓ લેવાનો અને પ્રતિ કલાક $600 (લગભગ રૂ. 51,625) ચૂકવવાનો આરોપ છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ગ્રાહકોમાં ડોકટરો, વકીલો, કોર્પોરેટ અધિકારીઓ, સરકારી કોન્ટ્રાક્ટરો અને જાહેર અધિકારીઓનો સમાવેશ થતો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે.. આ રિંગમાં સામેલ મોટાભાગની મહિલાઓ એશિયન મૂળની હતી.. ઘણા કિસ્સાઓમાં તે સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યુ કે,, આ રેકેટમાં સામેલ પુરુષો મુખ્યત્વે એશિયન મહિલાઓ સાથે સેક્સ માટે પ્રતિ કલાક $600 સુધી ચૂકવતા હતા.
અનુરાગ બાજપાઈ એક પ્રતિષ્ઠિત એન્જિનિયર અને ઉદ્યોગસાહસિક છે.. જેમણે લખનૌની લા માર્ટિનિયર કોલેજમાંથી શિક્ષણ શરૂ કર્યું હતું. તેમણે 2006 માં મિઝોરી-કોલંબિયા યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.. ત્યારબાદ,તેમણે 2008 માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માસ્ટર ડિગ્રી અને 2012 માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી પૂર્ણ કરી હતી.. તેમનું ડોક્ટરલ સંશોધન ઔદ્યોગિક ડિસેલિનેશન અને વોટર ટ્રીટમેન્ટ પર કેન્દ્રિત હતુ…જેને સાયન્ટિફિક અમેરિકન દ્વારા તેની “ટોચના 10 વિશ્વ-બદલાતા વિચારો” યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
બાજપાઈએ 2013 માં MIT સ્પિનઆઉટ તરીકે ગ્રેડિયન્ટની સ્થાપના કરી હતી.. એક એવી કંપની બનાવી જેનું મૂલ્ય આજે $1 બિલિયનથી વધુ છે. તેમના નેતૃત્વ હેઠળ, ગ્રેડિયન્ટે 25 થી વધુ દેશોમાં તેની હાજરીનો વિસ્તાર કર્યો છે.. જે સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ, ખાણકામ અને ખાદ્ય અને પીણા ઉદ્યોગો માટે પાણી શુદ્ધિકરણ ઉકેલો પૂરા પાડે છે.
આ કૌભાંડ બાદ, ગ્રેડિયન્ટના કેટલાક કર્મચારીઓએ બાજપેયીના રાજીનામાની માંગ કરી છે.. પરંતુ કંપનીએ તેના સીઈઓને ટેકો આપ્યો છે. ગ્રેડિયન્ટના પ્રવક્તા ફેલિક્સ વાંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે..અમને વિશ્વાસ છે કે આ મામલો ટૂંક સમયમાં અનુકૂળ રીતે ઉકેલાઈ જશે. આ કેસથી સંબંધિત ન હોવાથી, ગ્રેડિયન્ટ ટેકનોલોજીકલ નવીનતામાં શ્રેષ્ઠતા મેળવવા અને સમાજ માટે સ્વચ્છ પાણી સુનિશ્ચિત કરવાના તેના મિશનને ચાલુ રાખશે.”
આ કેસમાં બાજપેયી પર દુષ્કર્મના આરોપો છે. તેની ધરપકડ આ વર્ષની શરૂઆતમાં બોસ્ટન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનનો એક ભાગ હતી. આ કેસમાં, જે હવે “કેમ્બ્રિજ વેશ્યાગૃહ ટ્રાયલ” તરીકે ઓળખાય છે…તેમાં કેમ્બ્રિજ સિટી કાઉન્સિલર પોલ ટોનર જેવા અન્ય અગ્રણી વ્યક્તિઓના નામ પણ સામેલ છે…ટોનરે જાહેરમાં માફી માંગી હતી…પણ રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો.
- Advertisement -
- Advertisement -