વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિમસ્ટેક સંમેલન માટે થાઈલેન્ડ જવા રવાના થયા..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે થાઈલેન્ડ જવા રવાના થયા છે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ બેંગકોકમાં થાઈલેન્ડના વડાપ્રધાન પૈતોન્ગટાર્ન શિનાવાત્રા સાથે વાતચીત કરશે અને શુક્રવારે છઠ્ઠી બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી ગુરુવારે શિનાવાત્રાને મળવાના છે.
થાઈલેન્ડમાં ભારતીય સમુદાયના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેંગકોકમાં આગમન સમયે સ્વાગત કરવા રાહ જોઈ હતી.. વડાપ્રધાન મોદી 4 એપ્રિલે યોજાનારી 6ઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડની 2 દિવસની મુલાકાતે જશે.
કેપી શર્મા ઓલી અને મોહમ્મદ યુનુસ સાથે પણ સંભવિત મુલાકાત
PM મોદી ગુરુવારે સાંજે જ BIMSTEC નેતાઓ સાથે દરિયાઈ સહયોગ કરાર માટે વાતચીત કરશે. તે શુક્રવારે BIMSTEC સમિટમાં PM મોદી, નેપાળના PM કેપી શર્મા ઓલી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પણ મળવાની શક્યતા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ‘X’ પર લખ્યું, ’20મી BIMSTEC મંત્રી સ્તરીય બેઠક માટે બેંગકોકમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ થાઈલેન્ડના વિદેશ મંત્રી મારિસ સાંગિયામ્પોંગસાનો આભાર. હું BIMSTEC લીડર્સ સમિટ પહેલા આજે ફળદાયી વાટાઘાટોની રાહ જોઈ રહ્યો છું.’
બેંગકોકમાં વિશ્વ હિન્દુ પરિષદ એસોસિએશન, થાઈલેન્ડના પ્રમુખ વૈશાલી તુષાર ઉરુમકરે જણાવ્યું હતું કે, “હું મહારાષ્ટ્રના પુણેથી છું અને છેલ્લા 21 વર્ષથી અહીં રહું છું. અમે ઉત્સાહિત છીએ કે વડાપ્રધાન મોદી અહીં આવી રહ્યા છે. જ્યારે અમે હોટેલમાં જઈ રહ્યા હતા ત્યારે દરેક વ્યક્તિ તેમના વિશે વાત કરી રહ્યા હતા. અમે તેમને મળવા માટે ઉત્સાહિત છીએ.”
અગાઉ, પોલીસ અને ડોગ સ્કવોડે બેંગકોકની હોટેલમાં સુરક્ષા તપાસ હાથ ધરી હતી.. જ્યાં વડાપ્રધાન મોદી 4 એપ્રિલે 6ઠ્ઠી બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા થાઇલેન્ડની મુલાકાત દરમિયાન રોકાશે.
શિનાવાત્રા વાટ ફોની મુલાકાત લેશે
પીએમ મોદી અને વડાપ્રધાન શિનાવાત્રા થાઈલેન્ડના ટોચના છ મંદિરોમાંના એક વાટ ફોની મુલાકાત લેશે. આ સ્થાન બુદ્ધની વિશાળ પ્રતિમા માટે પ્રખ્યાત છે. BIMSTEC સંમેલનમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લેશે.
- Advertisement -
- Advertisement -