અવકાશમાંથી સુરક્ષિત પરત ફરેલી સુનીતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માંગ, તૃણમૂલ સાંસદે ઉઠાવ્યો અવાજ

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ મોહમ્મદ નદીમુલ હકે બુધવારે નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. ભારતીય મૂળના અવકાશયાત્રી વિલિયમ્સ 18 માર્ચના રોજ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા.. તે નવ મહિનાથી વધુ સમય સુધી અવકાશમાં રહી હતી..
ગૃહમાં તેમના ભાષણ દરમિયાન હકે કહ્યું કે,, સુનીતા વિલિયમ્સની સફળતા ભારતમાં હંમેશા ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે,, વિલિયમ્સને ભારત રત્ન આપવો એ સૌથી મોટી ઉજવણી હશે. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની માંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.. જેમાં તેમણે કહ્યું હતું કે વિલિયમ્સને તેમની નોંધપાત્ર સિદ્ધિ માટે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવા જોઇએ…
- Advertisement -
- Advertisement -