ભારતમાં ઈદનો ચાંદ દેખાયો, આવતીકાલે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવાશે

સોમવારે 31 માર્ચે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. લખનૌમાં ઈદનો ચાંદ દેખાયો હતો.. ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટીના અધ્યક્ષ ખાલિદ રશીદ ફરંગીએ જાહેરાત કરી છે કે આજે ઈદનો ચાંદ દેખાઈ ગયો છે..આવતીકાલે 31 માર્ચે ઈદની ઉજવણી કરવામાં આવશે.
ઈદનો તહેવાર નજીક આવતા જ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. રેડીમેડ કપડા અને ચંપલની દુકાનો પર ખરીદદારોનો ધસારો હતો… જેના કારણે ધંધો વધી ગયો હતો. તે જ સમયે, રમઝાનના અંતિમ દિવસોને ધ્યાનમાં રાખીને, પોલીસ પ્રશાસને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બજારો અને મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
- Advertisement -
- Advertisement -