દહેગામ : રખિયાલમાં વીજ બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઇટનું કનેકશન કપાયું..બે દિવસથી ગામમાં અંધારપટ છવાયો…

ગાંધીનગર જિલ્રલાના દહેગામ તાલુકાના મુખ્ય મથક રખિયાલમાં સ્ટ્રીટ લાઇટનું વીજ બીલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતુ…જેને પગલે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો…..આશરે અઢી લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી હોવાનું લોકમુખે જાણવા મળ્યું છે…
વીજળી ગુલ થઇ જવાથી રખિયાલ ગામમાં પ્રથમ વાડિયું..બીજુ વાડિયુ..મહાકાલી મંદિર ફળિયુ…પટેલ ફરિયું…વાવવાળુ વાડિયુ,,પ્રાથમિક શાળા પાછળનું વાડિયું…રખિયાલનો વાસણપુરા વિસ્તાર,,રામજી મંદિર,,પીંપળાવારો વાસ તેમજ બળિયાદેવ મંદિર સુધિના તમામ વિસ્તારોમાં બે દિવસથી અંધારપટ છવાયો હતો..સમગ્ર વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી…ખેતીમાં ઘઉંની સિઝન વખતે વીજળી ગુલ થઇ જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો….ડેરીમાં દૂધ ભરાવવા આવતા પશુપાલકો તેમજ નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો..
બીજી તરફ રખિયાલ સ્ટેશન વિસ્તારમાં પણ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો….
- Advertisement -
- Advertisement -