24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર થી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ‘વનતારા’ની અને સાસણગીરની કરશે મુલાકાત


વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. PM મોદી 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરશે.. જયારે 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

PM ના બીજા દિવસના પ્રવાસની વાત કરવામાં આવે તો, સર્કિટ હાઉસથી તેમની કાફલો બાય રોડ પર રિલાયન્સના વનતારા પક્ષી અને પ્રાણી સંગ્રહાલય-ઉછેર સેન્ટરનું દ્રષ્ટાંત માટે જશે. આ સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રકૃતિ અને પ્રાણી સંરક્ષણની પહેલોને પ્રોત્સાહન આપશે. દરેક મુલાકાત દરમિયાન, પીએમ મોદી આરક્ષક રાજવી, જામ સાહેબની મુલાકાત લેતા રહ્યા છે. આ વખતે પણ તેમની નંદુરસ્તી પર ચર્ચા ચાલી રહી છે, અને એવી શક્યતાઓ છે કે પીએમ મોદી જામ સાહેબની મુલાકાત લઇ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે એસપીજી કાફલાની સાથે રાજ્યના 1,510 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.જેમાં 6 આઈપીએસ, 31 ડીવાયએસપી, 67 પીઆઈ અને 150થી વધુ પીએસઆઇ અધિકારીઓ ખડેપગે રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -