31.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

વૈષ્ણોદેવી જવાનું થશે સસ્તું, ટોલ ૮૦ ટકા ઘટાડવાનો નિર્દેશ


નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોને ટોલ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને નિર્દેશ આપ્યો છે કે જો રસ્તો ક્ષતિગ્રસ્ત થાય છે તો ટોલ ટેક્સ ઘટાડવો પડશે.નેશનલ હાઇવે 44 પર સ્થિત બે ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ 80 ટકા ઘટાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે કહ્યું કે,, જ્યાં સુધી રોડ બાંધકામનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાં ઘટાડો ચાલુ રાખવો જોઈએ.

હાઈકોર્ટના આ નિર્ણયથી માતા વૈષ્ણોદેવી મંદિરમાં જતા શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને મોટી રાહત મળશે. કોર્ટના આ નિર્ણયથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પરથી દરરોજ પસાર થતા લાખો લોકોને ફાયદો થશે.

ચીફ જસ્ટિસ તાશી રબસ્તાન અને જસ્ટિસ એમએ ચૌધરીની બેન્ચે એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે, NHAI ને લખનપુર અને બાન ટોલ પ્લાઝા પર લોકો પાસેથી માત્ર 20 ટકા ટોલ વસૂલવાનો આદેશ આપ્યો છે.આ સૂચના તાત્કાલિક અમલમાં છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તાના બાંધકામનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. એટલું જ નહીં, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર 60 કિલોમીટરની અંદર કોઈપણ ટોલ પ્લાઝા સ્થાપિત ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે મહિનાની અંદર આવા ટોલ પ્લાઝા દૂર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સુગંધા સાહનીએ NH-44 પર લખનપુર, થાંડી ખુઈ અને બાન પ્લાઝા ખાતે ટોલ વસૂલાતમાં મુક્તિ મેળવવા માટે PIL દાખલ કરી હતી.. જેમાં દલીલ કરવામાં આવી હતી કે ડિસેમ્બર 2021 થી હાઇવેનો 60 થી 70 ટકા બાંધકામ હેઠળ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને ટોલ ટેક્સ વસૂલાત ચાલુ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -