ફ્રાન્સમાં રશિયન કોન્સ્યુલેટમાં વિસ્ફોટ, પ્રવક્તાએ કહ્યું- આતંકવાદી હુમલો
ફ્રાન્સના માર્સેલીમાં રશિયન કોન્સ્યુલેટમાં સોમવારે વિસ્ફોટ થયો હતો. આ અંગે રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે આ આતંકવાદી હુમલો લાગે છે. વિસ્ફોટના સ્થળે લગભગ 30 ફાયરબ્રિગેડ પહોંચ્યા હતા..
રશિયન સમાચાર એજન્સી TASSએ ફ્રાન્સના BFMTV ના અહેવાલને ટાંકીને જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ‘TASS’ એ એક મેગેઝિનના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે અજાણ્યા લોકોએ કોન્સ્યુલેટના બગીચામાં બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ઘટનાસ્થળ નજીકથી એક ચોરાયેલી કાર પણ મળી આવી હતી.
ઝાખારોવાએ જણાવ્યું હતું કે, રશિયા આ ઘટનાની તાત્કાલિક અને સંપૂર્ણ તપાસની માંગ કરે છે અને રશિયન સુવિધાઓની સુરક્ષા વધારવા માટે પગલાં લેવાની હાકલ કરે છે. તેમણે કહ્યું કે માર્સેલીમાં રશિયન કોન્સ્યુલેટમાં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી હુમલાના બધા સંકેતો હતા. અમે માંગ કરીએ છીએ કે ફ્રાન્સ આ ઘટનાની તાત્કાલિક અને સંપૂર્ણ તપાસ કરે અને વિદેશમાં રશિયાની સુવિધાઓની સુરક્ષા વધારવા માટે પગલાં લે.
રશિયાની ફોરેન ઇન્ટેલિજન્સ સર્વિસે 19 ફેબ્રુઆરીએ ચેતવણી આપી હતી કે,, યુક્રેનિયન સરકાર યુરોપમાં, ખાસ કરીને જર્મની, બાલ્ટિક અને સ્કેન્ડિનેવિયન (નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક) દેશોમાં રશિયન દૂતાવાસો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહી છે.
આ પહેલા ફ્રાન્સમાં પણ છરી હુમલાનો મામલો સામે આવ્યો હતો.. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.. અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ હુમલાને ઇસ્લામિક આતંકવાદ ગણાવ્યો હતો..જર્મન સરહદ નજીક મુલહાઉસમાં બનેલી આ ઘટનામાં એક પોર્ટુગીઝ નાગરિકનું મોત થયું હતું. આ ઘટનામાં સાત પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.
- Advertisement -
- Advertisement -