શ્રીલંકામાં 34 ભારતીય માછીમારોની ધરપકડ, તેમના પાણીમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવાના આરોપમાં
શ્રીલંકાના નૌકાદળે ગેરકાયદેસર માછીમારીના આરોપમાં 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે.
છેલ્લા બે દિવસમાં અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાઓમાં આ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ માછીમારોની ત્રણ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. નૌકાદળ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ માછીમારોને 25 અને 26 જાન્યુઆરી દરમિયાન શ્રીલંકાના પાણીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા અને માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ગેરકાયદેસર માછીમારી અટકાવવા માટે ઉત્તરપૂર્વીય મન્ના જિલ્લાના દરિયાકાંઠે શ્રીલંકાના નૌકાદળના પેટ્રોલિંગ દ્વારા આ ધરપકડ કરવામાં આવી હતી… ત્યારબાદ આ લોકોને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને સોંપવામાં આવ્યા હતાં

