PM નરેન્દ્ર મોદી શનિવારે દેશના 230 થી વધુ જિલ્લાઓના લગભગ 50,000 ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. વિતરણ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આમાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, યુપી અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.
સ્વામીત્વ યોજના શું છે?
ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી દ્વારા 24 એપ્રિલ, 2020 (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) ના રોજ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત, ગ્રામીણ વિસ્તારોમાં જમીનના રેકોર્ડ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવે છે જેથી જમીનના વિવાદો ઘટાડી શકાય.
ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ, 3.17 લાખથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જે લક્ષ્યના 92 ટકા છે. તે જ સમયે, ૧.૫૩ લાખ ગામડાઓ માટે લગભગ ૨.૨૫ કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

