પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઓડિશાના ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર હતા. અહીં પીએમ મોદીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.
૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે આ જીવંત ઉત્સવોનો સમય છે. પ્રયાગરાજમાં થોડા દિવસોમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. મકરસંક્રાંતિ, બિહુ, પોંગલ, લોહરી જેવા તહેવારો આવવાના છે. સર્વત્ર આનંદનું વાતાવરણ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે તમે જે મહાન ઓડિશા ભૂમિ પર ભેગા થયા છો તે ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિબિંબ પણ છે. ઓડિશામાં દરેક પગલે આપણો વારસો દેખાય છે. સેંકડો વર્ષ પહેલાં પણ, ઓડિશાના આપણા વેપારીઓ બાલી, સુમાત્રા, જાવા જેવા સ્થળોએ લાંબા અંતરની મુસાફરી કરતા હતા… આજે પણ ઓડિશામાં બાલી યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ તલવારની શક્તિનો ઉપયોગ કરીને સામ્રાજ્યોના વિસ્તરણના સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આપણા સમ્રાટ અશોકે અહીં શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. આ આપણા વારસાની એ જ તાકાત છે જેના કારણે આજે ભારત દુનિયાને કહી શકે છે કે ભવિષ્ય યુદ્ધમાં નહીં, પણ બુદ્ધમાં રહેલું છે.

