બહરાઇચમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલા હંગામા બાદ હિંસા સતત વધી રહી છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ હિંસા વધી છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવારે બદમાશોએ એક શોરૂમ અને હોસ્પિટલમાં તોડફોડ કરી આગ લગાવી હતી. અનેક ઘરો પણ બળી ગયા હતા.
છ કંપની PAC સાથે 4 SP રેન્કના અધિકારીઓ અને બે વધારાના SP, 6 CO, એક કંપની RAFને બહરાઇચ મોકલવામાં આવી.
ઉત્તરપ્રદેશના સીએમઓએ માહિતી આપી છે કે સીએમ યોગી આદિત્યનાથની સૂચના પર ગૃહ સચિવ સંજીવ ગુપ્તા અને એડીજી કાયદો અને વ્યવસ્થા સ્થળ પર પહોંચી ગયા છે. 30 બદમાશોની અટકાયત કરવામાં આવી હતી.
બહરાઇચમાં વિરોધ હિંસક બન્યો ત્યારે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો આશરો લીધો. મહાસીના મહારાજગંજ વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ગોળી વાગવાથી યુવકના મોતને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે.
બહરાઇચ હિંસા પર, અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું, “હું બહરાઇચના રહેવાસીઓ અને સમાજના તમામ વર્ગોને ત્યાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં યોગદાન આપવા અપીલ કરું છું. હ્રદયસ્પર્શી અને દર્દનાક ઘટના જો પોલીસ યોગ્ય રીતે તૈયાર થઈ હોત તો આ ઘટના બની ન હોત લોકોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મુખ્યમંત્રી અને વહીવટીતંત્રની છે.

