રખિયાલ ગામમાં આઠમા નોરતે શક્તિ માના ચાચર ચોકમાં 500 દિવડાની મહાઆરતી કરવામાં આવી હતી .ખેલૈયાઓએ પણ મોડી રાત સુધી ડીજે ના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.

નવરાત્રી પર્વને પગલે નવ દિવસ સુધી ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવાના આવે છે. દરરોજ માતાજીની આરતી તેમજ ગરબા રમવામાં આવે છે. નવરાત્રીના પર્વમા આઠમની આરતીનું અનોખું મહત્વ રહેલુ છે.આ દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. ત્યારે રખિયાલમાં નવરાત્રીના આઠમા નોરતે આદ્યશક્તિ માના ચાચર ચોકમાં 500 દિવડાની મહા આરતી કરવામાં આવી હતી..આ પ્રસંગે બહોળી સંખ્યામાં માઈ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.આઠમા નોરતે ચાચર ચોકમાં ખેલૈયાઓએ પણ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી.

આ ઉપરાંત શક્તિ માતાના મંદિરને નવે નવ દિવસ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે..

