
શુક્રવારે ફાસ્ટ ટ્રેક કોર્ટે ફતેહપુર બેરીમાં શનિધામના સ્થાપક મદન લાલ રાજસ્થાની ઉર્ફે દાતી મહારાજ અને તેના બે ભાઈઓ સામે 2018માં નોંધાયેલા બળાત્કારના કેસમાં સુનાવણી શરૂ કરી હતી.કોર્ટે આ ત્રણેય વિરુદ્ધ બળાત્કારના આરોપો ઘડતા આ આદેશ આપ્યો હતો..
વધારાના સેશન્સ જજ નેહાએ મદનલાલ રાજસ્થાની અને તેના બે ભાઈઓ અશોક અને અર્જુન સામે બળાત્કાર અને અન્ય ગુનાઓના આરોપો ઘડ્યા હતાં…કોર્ટમાં હાજર આરોપીઓએ દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો હતો.. જેના પગલે ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે 18 ઓક્ટોબરથી ફરિયાદી પુરાવા રેકોર્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે…
તારીખ 3 ઓક્ટોબર, 2018ના રોજ હાઈકોર્ટે આ કેસમાં વધુ તપાસની જવાબદારી CBIને સોંપી હતી. આ આદેશ પીડિતાની માંગ પર આપવામાં આવ્યો હતો…જેણે તે સમયે કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તારીખ 11 જૂન, 2018ના દિવસે પોલીસે 7 જૂન, 2018ના રોજ દાતી વિરુદ્ધ પીડિત યુવતીએ આપેલી બળાત્કારની ફરિયાદ પર FIR નોંધી હતી.
શું છે આખો મામલો
વર્ષ 2019 માં બળાત્કાર અને ધમકાવવાના ગંભીર આરોપો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી..જેમાં દાતી અને તેના ત્રણ ભાઈઓ – અશોક, અર્જુન અને અનિલ પર આઈપીસી કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી સેક્સ), 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને 34. (સામાન્ય હેતુ)નો આરોપ હતો. આ કેસ સીબીઆઈ પાસે ગયો હતો..જેમણે વધુ તપાસ કરી અને 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ દાતી અને તેના બે ભાઈઓ સામે બળાત્કારના આરોપમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી..પીડિતાના નિવેદનના આધારે સીબીઆઈએ તેની ચાર્જશીટમાં નીતુ ઉર્ફે માતા શ્રદ્ધા અને નીમા જોશીને આરોપી બનાવ્યા છે. આ બંને સામે ચોક્કસ આરોપો હોવા છતાં ક્રાઈમ બ્રાન્ચે તેમને આરોપી બનાવ્યા ન હતા.
ફાસ્ટ ટ્રેક પર પાંચ વર્ષનો સમય
ડિસેમ્બર 2019માં આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટને સોંપવામાં આવી હતી. પરંતુ, ફાસ્ટ ટ્રેક કોર્ટને આ કેસમાં આરોપો ઘડવામાં લગભગ પાંચ વર્ષ લાગ્યા. કોર્ટે 3 માર્ચ, 2020 થી આરોપો ઘડવા માટે દલીલો સાંભળવાનું શરૂ કર્યું હતું.ત્યારબાદ તારીખ 17 મે, 2023 થી અત્યાર સુધીમાં 6 વખત આરોપો પર આદેશ જાહેર કરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી.
પીડિતાને ડર સતાવી રહ્યો છે.
પીડિત મહિલા શુક્રવારની કાર્યવાહીથી બિલકુલ ખુશ જણાતી ન હતી. તેમના વકીલ પ્રદીપ તિવારીએ જણાવ્યું કે,,કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હોવા છતાં તેમાં ચાલતી ધીમી ગતિએ ફરિયાદીનું મનોબળ તોડી નાખ્યું છે. તેમને સંપૂર્ણ શંકા છે કે આ છ વર્ષ દરમિયાન કેસના સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હશે. આવી સ્થિતિમાં, તેણીએ હવે ઘણી હદ સુધી ન્યાય મળવાની આશા ગુમાવી દીધી છે. પીડિતાના વકીલ પર હુમલો થયો હોવા છતાં, તેને પોલીસ રક્ષણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

