
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની સ્મૃતિમાં નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું આ નવો ધ્વજ અને પ્રતીક, ન્યાય અને લોકશાહીનું પ્રતીક છે… તેની કલ્પના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલોજી, નવી દિલ્હી દ્વારા કરવામાં આવી હતી.આ ધ્વજ પર અશોક ચક્ર, ભવ્ય સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગ અને બંધારણનું પુસ્તક અંકિત છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ પણ હાજર હતા.
રાષ્ટ્રપતિએ જિલ્લા ન્યાયતંત્રના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહાભારતમાં સુપ્રીમ કોર્ટનું સૂત્ર ‘યતો ધર્મ તતો જય’, નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે, ‘જ્યાં ધર્મ છે, ત્યાં વિજય’ છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ‘ ન્યાય અને અન્યાયનો નિર્ણય કરે છે તે ધર્મ એ શાસ્ત્ર છે. મને આનંદ છે કે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ન્યાય પ્રત્યે શ્રદ્ધા અને આદરની લાગણી આપણી પરંપરાનો એક ભાગ રહ્યો છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે અદાલતોમાં ‘તારીખ પછીની તારીખ’ સંસ્કૃતિને બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે અદાલતોમાં ‘સ્થગિત કરવાની સંસ્કૃતિ’ બદલવાના પ્રયાસો કરવાની જરૂર છે.
તે જ સમયે, મેઘવાલે ન્યાય પ્રણાલીમાં ‘તારીખ પછીની તારીખ’ની સામાન્ય ધારણાને તોડવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરી હતી જેથી કરીને ન્યાયતંત્ર પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત થઈ શકે. ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અદાલતોમાં પેન્ડિંગ કેસ એ ‘આપણા બધા’ માટે એક મોટો પડકાર છે.

