37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

આ સાંસદે શપથ લીધા પછી તરત જ મંત્રી પદ છોડવાની વાત કેમ કરી?


દેશની નવી સરકારની રચના રવિવારે (9 જૂન, 2024) કરવામાં આવી હતી. 72 સાંસદોએ કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા. જેમાં કેરળના એકમાત્ર ભાજપના સાંસદ સુરેશ ગોપીનો પણ સમાવેશ થાય છે, પરંતુ હવે તેઓ આ પદ છોડે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ બાદ એક ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને લાગે છે કે તેમને જલ્દી જ પદ પરથી મુક્ત કરવામાં આવશે.

સુરેશ ગોપીએ કહ્યું કે તેમણે મંત્રી પદ માંગ્યું નથી. મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા સુરેશ ગોપીએ કહ્યું કે, ‘મેં ઘણી ફિલ્મો સાઈન કરી છે અને કરવાની છે. હું ત્રિશૂરના સાંસદ તરીકે કામ કરીશ.

સુરેશ ગોપીએ કહ્યું કે તે માત્ર સાંસદ તરીકે પોતાના મત વિસ્તાર માટે કામ કરવા માંગે છે અને મંત્રી પદની જરૂર નથી. તેણે કહ્યું કે તેણે આ પદ માટે પૂછ્યું નથી અને તે ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત થઈ જશે. તેણે કહ્યું કે તે કોઈપણ કિંમતે તેની ફિલ્મો કરવા માંગે છે અને તે ત્રિશૂરના લોકો માટે કામ કરશે. તેમને ત્યાંના લોકો સાથે કોઈ સમસ્યા નથી.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપે કેરળમાં પહેલીવાર પોતાનું ખાતું ખોલાવ્યું છે. સુરેશ ગોપીએ ત્રિશૂરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીતીને તેમણે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સીટ પર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) એ VS સુનિલ કુમારને મેદાનમાં ઉતાર્યા હતા, જેમને સુરેશ ગોપીએ 74,686 વોટથી હરાવ્યા હતા.

લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા સુરેશ ગોપી 2022 સુધી રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. સુરેશ ગોપી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે અને ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ સિવાય તેણે ઘણા ટીવી શો પણ હોસ્ટ કર્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -