30.5 C
Ahmedabad
Thursday, March 5, 2026

પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર કરી ચર્ચા..વિદ્યાર્થીઓને આપી દીધો પરીક્ષમાં જીતનો મંત્ર


પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં શિક્ષકોની ભૂમિકા શું હોવી જોઈએ અને વિદ્યાર્થીઓને કેવી રીતે તણાવમુક્ત રાખવા જોઈએ? વડાપ્રધાને કહ્યું કે માત્ર પરીક્ષાના કારણે કોઈ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંબંધ ન હોવો જોઈએ, જો આવું છે તો તેને સુધારવાની જરૂર છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ પહેલા દિવસથી જ વધતો રહેવો જોઈએ. જો આમ થશે તો પરીક્ષાના દિવસોમાં તણાવ નહીં રહે.

તેમણે કહ્યું કે બાળકોનો તણાવ ઘટાડવામાં શિક્ષકોની મહત્વની ભૂમિકા હોય છે. તેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે હંમેશા સકારાત્મક સંબંધ હોવો જોઈએ. શિક્ષકનું કામ માત્ર નોકરી કરવાનું નથી, પરંતુ જીવનને ઉન્નત કરવાનું, જીવનને શક્તિ આપવાનું છે, આ જ પરિવર્તન લાવે છે. તેમણે કહ્યું કે શિક્ષકોએ અભ્યાસક્રમથી આગળ વધીને વિદ્યાર્થીઓ સાથે સંબંધો બાંધવા જોઈએ

મિત્રો સાથેની સ્પર્ધાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે તમારા મિત્ર સાથે હરીફાઈ કરો છો તે શું છે? ધારો કે પેપર 100 માર્ક્સનું છે. જો તમારા મિત્રને 90 નંબર મળે, તો શું તમારા માટે 10 નંબરો બાકી છે? તમારા માટે પણ 100 નંબર છે. તમારે તેની સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી, તમારે તમારી જાત સાથે સ્પર્ધા કરવી પડશે. તેને ધિક્કારવાની જરૂર નથી. હકીકતમાં તે તમારા માટે પ્રેરણા બની શકે છે. જો આ માનસિકતા ચાલુ રહેશે તો તમે તમારાથી વધુ હોશિયાર વ્યક્તિ સાથે મિત્રતા નહીં કરી શકો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -