દેશભરમાં દીપાવલીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આ અવસરે પૂજાની સાથે ઘરને શણગારવાની અને એકબીજાનું મોં મીઠું કરાવવાની પ્રથા ઘણી જૂની છે.દિવાળી તહેવારમાં મીઠાઈ-ફરસાણમાં ભારે મિલાવટ થઇ રહી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ફળતાના પગલે ભેળસેળીયા માફિયાઓને છુટ્ટોદોર મળી ગયો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં માલેતુજાર પરિવારો મીઠાઈમાં કાજુ કતરીને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે કાજુ કતરીમાં કેટલાક લેભાગુ વેપારીઓ સીંગદાણા ની પેસ્ટ સાથે થોડી માત્રામાં કાજુ અને એસેન્સ નાખી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની સાથે પૈસા ખંખેરી રહ્યા છે મોડાસા નગરપાલિકા તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાનાપૂર્તિ કામગીરી કરી રહી છે ત્યારે ભેળસેળીયા વેપારીઓ સામે શખ્ત કાર્યવાહી હાથધરવામાં આવેની માંગ પ્રબળ બની છે કાજુ કતરી પર ચાંદીની વરખ પણ ડુપ્લીકેટ લગાવવામાં આવતા કેન્સર અને ચામડીના રોગને આમંત્રણ આપી રહી છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિવાળી પર્વમાં મીઠાઈ-ફરસાણનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે બજારમાં મોટા પ્રમાણમાં હલકી કક્ષાની મીઠાઈ-ફરસાણ ઠલવાઇ હોવાની સાથે ભોળી પ્રજાને લેભાગુ વેપારીઓ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની સાથે છેતરપિંડી કરી રહ્યા છે મોડાસા શહેરમાં ઠેર ઠેર કાજુ કતરી વેચાણ થઇ રહ્યું છે કાજુ 800 રૂપિયે કિલો બજારમાં મળી રહ્યા હોવાની સામે સીંગદાણાનો કિલોનો ભાવ 200 રૂપિયાની આસપાસ હોવાથી કાજુ કતરીમાં કાજુની સાથે સીંગદાણાની પેસ્ટ અને એસેન્સ નાખી લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો હોવાની બૂમો ઉઠી છે જીલ્લામાં હલકી ગુણવત્તા અને બિન આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું કરોડો રૂપિયાનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાનાપૂર્તિ માટે સેમ્પલ લઇ સંતોષ માની રહ્યું છે.

