24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અરવલ્લી : ગાંધીબાપુના સ્મારક મીની રાજઘાટ (મહાદેવગ્રામ)થી રાજકીય નેતાઓ,ઉચ્ચ અધિકારીઓ અજાણ…!! જન્મજ્યંતિએ કોઈ ફરક્યું નહીં


2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિને સમગ્ર વિશ્વમાં અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.154મી ગાંધી જન્મ જયંતિ નીમ્મીતે દેશમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ ગાંધી ના મીની રાજઘાટ ખાતે ગણ્યા ગાંઠ્યા સામાજિક અગ્રણીઓ, જાયન્ટ્સ મોડાસા,મહાદેવગ્રામ પંચાયત અને ગોખરાવા સ્કૂલના બાળકો સિવાય રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ અધિકારી કે પદાધિકારી પણ બાપુને શ્રદ્ધાંજલિ આપવાની ફુરશદ ન મળતા લોકો માં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો વોટ મેળવા માટે બાપુ નું સતત સ્મરણ કરતા રાજકીય આગેવાનો સામે લોકોએ ફિટકાર વરસાવતા હતા.બપોર સુધી કોઈ મોટા નેતા, પદાધિકારી કે ઉચ્ચ અધિકારી ડોકાયા ન હતા

મોડાસા તાલુકાના મહાદેવગ્રામ નજીક આવેલા હાથિયા ડુંગર પર આવેલા ઝૂમર નદીમાં વિસર્જન કરાયા હતા ત્યાર બાદ ડુંગરની તળેટી પર મીની રાજઘાટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ગુજરાતભર માં જાણીતું છે આંખુ વર્ષ આ સ્મારક સુમસામ ભાસતું હોય છે પરંતુ ગાંધી જન્મ જયંતીના દિવસે પણ તેમને જવાનો સમય ના મળ્યો થોડા વર્ષો અગાઉ સાબરકાંઠા જિલ્લામાં મહાદેવગ્રામ ગામ નો સમાવેશ થતો હતો ત્યારે જિલ્લા કલેકટર અને રાજકીય અગ્રણીઓ મીની રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપવા જતા હતા પરંતુ અરવલ્લી જિલ્લા નું નિર્માણ થતાંજ ગાંધીજી નું સ્મારક અને ગાંધીજીવિસરવા લાગ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -