પૂર્વમાં ઝીમ નદીથી પશ્ચિમમાં મુસૈલી કેનાલ સુધી કર્ફ્યુનો આદેશ લાગુ કરવામાં આવ્યો છે. લોકો ને મુસાફરી કરવા, જૂથોમાં ભેગા થવા અને કોઈ પણ આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નેપાળી સત્તાવાળાઓએ ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન સમારોહ દરમિયાન શુક્રવારે બે સમુદાયો વચ્ચે અથડામણને પગલે ભારતીય સરહદ નજીકના મલંગવા શહેરમાં અનિશ્ચિત કર્ફ્યુ લાદી દીધો હતો. સરલાહીના મુખ્ય જિલ્લા અધિકારી ઇન્દર દેવ યાદવે કહ્યું હતું કે, ગુરુવારે રાત્રે 10:00 વાગ્યાથી અમલમાં આવેલ કર્ફ્યુ આદેશ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.મલંગાવા સરલાહીનું જિલ્લાનું મુખ્ય મથક છે. અને તે સીતામઢીમાં નેપાળ-ભારત સરહદ નજીક આવેલું છે. પૂર્વમાં ઝીમ નદીથી પશ્ચિમમાં મુસૈલી કેનાલ સુધી કર્ફ્યુનો આદેશ લાગુ કરવામાં આવ્યો હતો.

