26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અગાઉની સરકારો દિલ્હીની બહાર મોટા કાર્યક્રમો આયોજિત કરવાથી ડરતી હતી’, PM મોદીનો જી-20ના બહાને કોંગ્રેસ પર કટાક્ષ


G20 સમિટ 9 અને 10 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 7 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ એક ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે G20 સમિટથી લઈને આતંકવાદ અને રશિયા-યુક્રેન સુધીના મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. કાશ્મીરથી અરુણાચલ સુધી દેશભરમાં જી-20 બેઠકો યોજાઈ હતી.

PM મોદીએ દેશભરમાં સભાઓ યોજીને શું કહ્યું?

દિલ્હીની બહાર એટલે કે અન્ય રાજ્યોમાં જી-20 મીટિંગના સફળ આયોજન અંગે પીએમ મોદીએ કહ્યું કે, દેશભરમાં જી-20 ઈવેન્ટ્સનું આયોજન કરવાનો તેમની સરકારનો નિર્ણય લોકો, શહેરો અને સંસ્થાઓ વચ્ચે ક્ષમતા નિર્માણમાં રોકાણ છે. તે જ સમયે, તેમણે જૂની સરકાર એટલે કે યુપીએ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, અગાઉની સરકારોને દિલ્હીની બહાર કાર્યક્રમોનું આયોજન કરવાની લોકોની ક્ષમતા પર વિશ્વાસ નહોતો.

પીએમ મોદીએ કહ્યું કે, તેમને હંમેશા લોકોમાં ખૂબ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભારતની G20 પ્રમુખપદ સમાપ્ત થાય ત્યાં સુધીમાં તમામ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના 60 શહેરોમાં 220થી વધુ બેઠકો થઈ ચૂકી હશે. તેમણે કહ્યું કે લગભગ 125 દેશોમાંથી એક લાખથી વધુ સહભાગીઓ ભારતીયોની કુશળતાના સાક્ષી બનશે. તેમણે કહ્યું, “આપણા દેશમાં 1.5 કરોડથી વધુ લોકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

દેશના અનેક શહેરોમાં વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન કરવાની ક્ષમતાઃ પીએમ મોદી

સમગ્ર ભારતમાં જી-20 મીટ યોજવાના ખ્યાલ પાછળના તેમના તર્ક વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે એવું જોવામાં આવ્યું છે કે કેટલાક દેશો, ભલે કદમાં નાના હોય, ઓલિમ્પિક્સ સહિતની હાઈ-પ્રોફાઈલ વૈશ્વિક મીટિંગ્સનું આયોજન કરવાની જવાબદારી ઉપાડે છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણા દેશના ઘણા શહેરો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. પીએમ મોદીએ વધુમાં માહિતી આપી હતી કે, તેમણે રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ કહ્યું કે તેઓ જે પણ સહભાગી દેશો તેમના રાજ્યમાં આવે તેની સાથે રાજ્ય સ્તરે સંબંધો મજબૂત કરે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

અગાઉની સરકારો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું, “દુર્ભાગ્યે ભૂતકાળમાં આવા કાર્યક્રમોનું આયોજન માત્ર દિલ્હીમાં વિજ્ઞાન ભવનની અંદર અને તેની આસપાસ કરવામાં આવતું હતું. કદાચ કારણ કે તે એક સરળ રસ્તો હતો અથવા કદાચ એટલા માટે કે જેઓ સત્તામાં હતા તેઓ પાસે દેશના વિવિધ ભાગોમાં આવી મોટા પાયે યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકવા માટે લોકોમાં વિશ્વાસનો અભાવ હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -