26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આખરે કોણ બની શકે છે, વિધાનસભામાં કારમી હાર બાદ લોકસભામાં કમબેક કરવા નેતૃત્વ પરીવર્તન કરશે હાઈકમાન્ડ


કોંગ્રેસમાં વિધાસભાની કારમી હાર બાદ ગુજરાતમાં ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ અને પ્રભારીના બદલવાની અટકળો ચાલી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ નેતૃત્વ પરીવર્તનના મૂડમાં છે. જેમાં કેટલાક કોંગ્રેસના નવા નેતાઓ અને જૂના જોગીઓ પણ રેસમાં છે. ખાસ કરીને કોંગ્રેસમાં મોટા નેતાઓને એક પછી એક ચાન્સ મળી રહ્યા છે. નવા ચહેરાઓને સ્થાન નથી મળતું ત્યારે આ વખતે કેટલાક નવા ચહેરાઓ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં સામે આવી રહ્યા છે.

કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત બાદ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે હાઈકમાન્ડ તરફથી અટકળો ચાલી રહી છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકીય રીતે સૌથી પડકારરૂપ રાજ્ય ગુજરાતમાં નવા પ્રમુખની નિમણૂક કરી શકે છે. કેમ કે, વિધાનસભામાં કારમી હાર બાદ લોકસભામાં કમબેક કરવા નેતૃત્વ પરીવર્તન જરૂરી પણ છે.

કર્ણાટકમાં મોટી જીતે કોંગ્રેસમાં નવી ઉર્જા ભરી દીધી છે. જે રીતે ભાજપની અથાગ મહેનત બાદ કોંગ્રેસે જીત મેળવી છે, તે પછી પાર્ટીની અંદર એવા તમામ રાજ્યોમાં જ્યાં પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે. ત્યાં સંગઠનને મજબૂત કરવાનો વિચાર શરૂ થયો છે.

જૂનમાં થઈ શકે છે પરીવર્તન 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે કોંગ્રેસ માટે સૌથી પડકારજનક રાજ્ય ગુજરાત છે. એવી ચર્ચા છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટી ટૂંક સમયમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકે છે, જેથી 2024ની તૈયારીઓને ઝડપી બનાવી શકાય. પાર્ટીએ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકરને હટાવવા અને જાળવી રાખવા અંગે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. આવી સ્થિતિમાં, બે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2024ની લોકસભાની ચૂંટણી વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકરના નેતૃત્વમાં લડવામાં આવી શકે છે, જો નહીં, તો જૂન મહિનામાં પાર્ટી આ જવાબદારી અન્ય નેતાને સોંપી શકે છે.

આ પાંચ નામો છે ચર્ચામાં 
દીપક બાબરિયા, ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમુદાયના નેતા લાલજી દેસાઈના નવા નામો સાથે ત્રણ જૂના દિગ્ગજો અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલના નામનો સમાવેશ થાય છે.

આ પાંચ નેતાઓના આ કારણે બને છે સમીકરણો 
જો પાટીદાર નેતા તરીકે જોવામાં આવે તો પરેશ ધાનાણી રેસમાં આગળ છે. હવે જોવાનું એ રહે છે કે જો પાર્ટી નવા પ્રમુખની નિમણૂક કરે છે તો કયા નેતાને આ મોટી જવાબદારી મળે છે. નવા ચહેરાઓમાં દીપક બાબરિયા ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાય છે. એટલું જ નહીં મધ્યપ્રદેશમાં જ્યારે કમલનાથની સરકાર બની ત્યારે દીપક બાબરિયા ત્યાં પ્રભારી હતા.લાલજી દેસાઈ ત્યાંના કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ મુખ્ય ભૂમિકામાં હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -