2000 Notes: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ બહાર ના પાડવાની સલાહ આપી છે. RBIએ કહ્યું કે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. ચલણમાં રહેલી રૂપિયા 2,000ની નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ તેની ટોપ પરના રૂપિયા 6.73 લાખ કરોડથી ઘટીને રૂપિયા 3.62 લાખ કરોડ થયું હતું. વર્ષ 2023માં આ આંકડો ચલણમાં રહેલી કુલ નોટોના માત્ર 10.8% છે. હવે જ્યારે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે, ત્યારે સામાન્ય લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અમે અહીં આવા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
સવાલ: 2000 રૂપિયાની નોટો પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
જવાબ: આરબીઆઈ એક્ટ, 1934ની કલમ 24(1) હેઠળ 2016માં સૌપ્રથમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ₹500 અને ₹1000ની નોટોના ડિમોનેટાઈઝેશન પછી અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ₹2000નું ચલણ રજૂ કરવાનું ફરજિયાત હતું. કારણ કે અન્ય મૂલ્યોની નોટો મોટી માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ હતી. RBIએ 2018-19માં ₹2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.
માર્ચ 2017 પહેલા જાહેર કરાયેલી ₹2,000ની લગભગ 89 ટકા નોટો તેમના અંદાજિત આયુષ્ય 4-5 વર્ષ કરતાં વધી ગઈ છે અથવા પૂર્ણ થવાના આરે હોવાનું કહેવાય છે. ઉપરાંત, એ પણ સમજાય છે કે લોકો હવે રૂટિન ટ્રાન્ઝેક્શન માટે રૂપિયા 2,000ની નોટ પર નિર્ભર નથી.
પ્રશ્ન: ₹2000ની નોટ કેવી રીતે અને ક્યાં બદલવી?
જવાબ: લોકો 30 સપ્ટેમ્બર સુધી તેમના સંબંધિત બેંક ખાતામાં ₹2,000 ની નોટ જમા અથવા બદલી શકે છે. આ સુવિધા 23 મેથી આરબીઆઈની તમામ પ્રાદેશિક કચેરીઓ અને દેશભરની અન્ય તમામ બેંકોમાં ઉપલબ્ધ થશે.
પ્રશ્ન: ₹ 2000 ની નોટો કેટલા મૂલ્ય સુધી બદલી શકાય છે?
જવાબ: RBI મુજબ, ઓપરેશનલ સગવડ જાળવવા અને બેંક શાખાઓના નિયમિત કામકાજમાં વિક્ષેપ ઘટાડવા માટે ₹20,000 સુધીની ₹2,000ની નોટો બદલી શકાય છે.
પ્રશ્ન: શું નિયમિત ટ્રાજેક્શન માટે ₹2000 ની નોટ સ્વીકારવામાં આવશે?
જવાબ: ₹2,000ની નોટોનો ઉપયોગ વ્યવહારો અને અન્ય ચુકવણીઓ માટે ચાલુ રહેશે. જો કે, આરબીઆઈને સલાહ આપવામાં આવી છે કે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં પાછી ખેંચાયેલી નોટો બદલી નાખે.
પ્રશ્ન: બેંક ખાતામાં ₹2000ની નોટ જમા કરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ: તમારા KYC સ્ટાડર્ડ અને અન્ય કાયદાકીય પ્રોસેસ તમારા બેંક ખાતામાં બંધ કરાયેલી ₹2,000ની નોટો જમા કરાવવા માટે લાગુ થશે.

