26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

આ છે દેશના સૌથી પ્રસિદ્ધ શનિ ધામ, જ્યાં માત્ર દર્શન કરવાથી જ સાડાસાતી-ઢૈયાથી મળે છે છુટકારો


શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, કારણ કે શનિદેવ વ્યક્તિને તેના સારા અને ખરાબ બંને કાર્યોનું ફળ ઝડપથી આપે છે. આ સિવાય જે લોકો પર શનિદેવની ખરાબ નજર પડી જાય છે, તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. બીજી તરફ શનિદોષ જેવા કે શનિ સાડાસાતી, ઢૈયાના કારણે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ દોષોમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શનિ મંદિરમાં જઈને પૂજા અને દર્શન જરૂર કરો.

તમે પ્રસિદ્ધ શનિધામ મંદિરોની મુલાકાત લઈને પણ આ શનિ દોષોથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ ભારતના પ્રખ્યાત શનિ ધામ વિશે…

કોકિલાવન ધામ (મથુરા) –

ભગવાન કૃષ્ણની નગરી મથુરામાં શનિદેવનું પ્રસિદ્ધ મંદિર કોકિલાવન ધામ આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોકિલાવન ધામ મંદિરમાં શનિદેવને સાત શનિવાર સુધી તેલ ચઢાવવાથી શનિદોષ દૂર થઈ જાય છે. આ મંદિરમાં તમે શનિદેવની સાથે ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

શનિ શિંગણાપુર મંદિર (મહારાષ્ટ્ર)

શનિ શિંગણાપુર મંદિર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિંગણાપુર ગામમાં આવેલું છે અને આ મંદિર વિશે ઘણી માન્યતાઓ છે. આ સિવાય શિંગણાપુર ગામમાં એકપણ ઘરને દરવાજા નથી અને કોઈ તેમના ઘર કે દુકાનને તાળા મારતું નથી. લોકોનું માનવું છે કે આ ગામ પર શનિદેવની કૃપા છે, તેથી અહીં કોઈ ચોરી થતી નથી. શનિદેવના ડરને કારણે આ ગામમાં કોઈપણ ચોર ચોરી કરતા ડરે છે. એવી માન્યતા છે કે શનિ શિંગણાપુર મંદિરના દર્શન કરવાથી શનિ સાડાસાતી અને ઢૈયાની ખરાબ અસર દૂર થાય છે.

શનિ ધામ મંદિર (નવી દિલ્હી)

જો તમે દેશની રાજધાની દિલ્હીમાં અથવા તેની આસપાસ રહો છો, તો અહીના છતરપુર સ્થિત શનિધામ મંદિરના દર્શન અવશ્ય કરો. આ મંદિરમાં ભક્તોની પણ ઊંડી આસ્થા છે અને દર શનિવારે અહીં ભક્તોની ભારે ભીડ રહે છે. આ સિવાય શનિધામ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં શનિદેવના દર્શન અને પૂજા કરવાથી દરેક પ્રકારના શનિ દોષોથી મુક્તિ મળે છે.

તિરુનલ્લારુ મંદિર (તમિલનાડુ)

તમિલનાડુના તંજાવુર જિલ્લામાં સ્થિત શનિદેવને સમર્પિત તિરુનલ્લારુ મંદિરમાં પણ ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવજી શનિદેવના ગુરુ છે અને આ મંદિરમાં શનિદેવની સાથે ભોલેનાથની પૂજા અને દર્શન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. શનિદેવની સાથે મહાદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -