31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 50 હિંદુઓએ કર્યો ઇસ્લામ સ્વીકાર, સરકાર પર સામૂહિક ધર્મ પરિવર્તનનો આરોપ


પાકિસ્તાનના દક્ષિણી પ્રાંત સિંધમાં દસ પરિવારોના 50 સભ્યોએ ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. અહેવાલ મુજબ, આ લોકો પ્રાંતના મીરપુરખાસ ક્ષેત્રના વિવિધ વિસ્તારના છે અને તેઓએ શહેરના બૈત-ઉલ ઈમાન ન્યૂ મુસ્લિમ કોલોની મદરેસામાં આયોજિત એક સમારોહમાં ધર્મ પરિવર્તન કર્યું. ધર્મ પરિવર્તન બાદ હિંદુ કાર્યકર્તાઓ ચિંતિત છે અને સરકાર પર સામૂહિક ધર્માંતરણમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

મદરેસાના સંભાળ રાખનારાઓમાંના એક, કારી તૈમૂર રાજપૂતે પુષ્ટિ કરી કે 10 પરિવારોના ઓછામાં ઓછા 50 સભ્યોએ ઇસ્લામ સ્વીકાર્યું છે, જેમાં 23 મહિલાઓ અને એક વર્ષની છોકરીનો સમાવેશ થાય છે. સમાચાર અનુસાર, ધાર્મિક બાબતોના મંત્રી મોહમ્મદ તલ્હા મેહમૂદના પુત્ર મોહમ્મદ શમરોઝ ખાને ધર્મ પરિવર્તન સમારોહમાં ભાગ લીધો હતો. રાજપૂતે ખાને કહ્યું, ‘તે બધાએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યો છે. કોઈએ તેમને દબાણ કર્યું નથી.

બીજી તરફ, હિંદુ કાર્યકર્તાઓ સામૂહિક ધર્મ પરિવર્તનથી પરેશાન છે અને સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને આક્ષેપો કરી રહ્યા છે. ધર્માંતરણ સામે અવાજ ઉઠાવનાર હિન્દુ કાર્યકર્તા ફકીર શિવ કુચ્ચીએ કહ્યું, “એવું લાગે છે કે સરકાર પોતે આ ધર્માંતરણમાં સામેલ છે.” તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી સમુદાયના સભ્યો સરકાર પાસે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, ‘સિંધમાં ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે અને તેને રોકવા માટે પગલાં લેવાને બદલે સંઘીય મંત્રીનો પુત્ર ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી આપે છે.’


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -