25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

દેશનું અનોખું રેલવે સ્ટેશન: બે રાજ્યોમાં વહેંચાયું રેલવે સ્ટેશન, ટિકિટ બારી મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં બેસે છે સ્ટેશન માસ્તર


Maharashtra Gujarat Navapur Railway Station: ભારતીય રેલવે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે, જેના દ્વારા દરરોજ લગભગ 4 કરોડ લોકો મુસાફરી કરે છે. તે વિશ્વમાં સૌથી વધુ સરકારી નોકરીઓ પ્રદાન કરતી સરકારી સંસ્થા પણ છે. ભારતીય રેલવે પાસે આવા ઘણા રસપ્રદ તથ્યો છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આજે અમે તમને ભારતીય રેલવેના આવા જ એક રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બે રાજ્યોની વચ્ચે બનેલ છે. ચાલો જાણીએ આ અનોખું રેલવે સ્ટેશન ક્યાં બનેલું છે.

અહીં આવેલું છે આ રેલવે સ્ટેશન

આ અનોખા રેલવે સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન (Navapur Railway Station) . તે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે. આ સ્ટેશનનો અડધો ભાગ ગુજરાતના તાપી જિલ્લામાં અને બીજો ભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બનેલો છે. આ સ્ટેશન ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે (Western Railway) ઝોન હેઠળ આવે છે. આ સ્ટેશનની તમામ વસ્તુઓ બે રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. સ્ટેશનની મધ્યમાં એક લાઇન દોરવામાં આવી છે, જેમાં એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ ગુજરાત છે.

મહારાષ્ટ્ર – ગુજરાતમાં વહેંચાયુ સ્ટેશન

નવાપુર રેલવે સ્ટેશન (Navapur Railway Station) પર એક બેન્ચ પણ છે, જેમાંથી અડધી ગુજરાતમાં અને અડધી મહારાષ્ટ્રમાં આવે છે. બેન્ચની બંને બાજુએ પેઇન્ટથી મહારાષ્ટ્ર અને ગુજરાત સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. આ સ્ટેશન પર આવતા ઘણા લોકો આ બેન્ચ પર બેસીને તેમના ફોટોગ્રાફ્સ લે છે. આ સાથે સ્ટેશન પર એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં દૂર-દૂરથી લોકો તેમના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા આવે છે.

સ્ટેશન પર બનેલા છે 3 પ્લેટફોર્મ

આ અનોખા રેલવે સ્ટેશનની કુલ લંબાઈ 800 મીટર છે. જેમાંથી 500 મીટર ગુજરાત અને બાકીનું 300 મીટર મહારાષ્ટ્રમાં આવે છે. આ રેલવે સ્ટેશન પર 4 રેલવે ટ્રેક અને 3 પ્લેટફોર્મ છે. રસપ્રદ વાત એ છે કે નવાપુર રેલવે સ્ટેશનની ટિકિટ બારી મહારાષ્ટ્રની બોર્ડરમાં આવે છે, જ્યારે સ્ટેશન માસ્તર ગુજરાતની બોર્ડરમાં બેસે છે.

રસપ્રદ છે સ્ટેશનનો ઇતિહાસ

નવાપુર રેલવે સ્ટેશન (Navapur Railway Station) કેવી રીતે બે રાજ્યો વચ્ચે વિભાજિત થયું તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. હકીકતમાં આ સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગલા પહેલાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ 1 મે, 1961ના રોજ મુંબઈ પ્રાંતને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું. આ વિભાજન હેઠળ નવાપુર રેલવે સ્ટેશન પણ બે રાજ્યો વચ્ચે અડધા ભાગમાં વહેંચાયું. ત્યારથી આ રેલવે સ્ટેશન એક આગવી ઓળખ બની ગયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -