અતીક અહેમદના આતંકનો ખાત્મો થઈ ગયો છે. ગયા શનિવારે રાત્રે, જ્યારે અતીકને તેના ભાઈ અશરફ સાથે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ત્રણ હુમલાખોરોએ અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરી દીધી. અતીકના આતંકની હાલત એવી હતી કે અતીક આખા પ્રયાગરાજમાં જે જમીન પસંદ આવી જતી તેને પડાવી પાડતો હતો. અતીક સામે બોલવાની પણ કોઈની હિંમત નહોતી. અતીક નક્કી કરતો હતો કે કઈ જમીન માટે કેટલા પૈસા આપવાના છે. અતીકે સમગ્ર પ્રયાગરાજ અને આજુબાજુના જિલ્લાઓમાં માત્ર ખાનગી જમીનો જ કબજે કરી ન હતી પરંતુ સરકારી જમીનોને પણ પચાવી પાડી હતી.
અતીક દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીન સરકાર પરત કરશે
પરંતુ અતીકના આતંકથી જે લોકો પણ પીડિત હતા અથવા જેમની જમીન અતીકે પચાવી પાડી હતી તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અતીકે જે લોકોની જમીનો પર કબજો કર્યો હતો તે હવે રાજ્ય સરકાર દ્વારા મૂળ માલિકોને પરત કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર કમિશનની રચના કરી શકે છે. આ કમિશન કાયદેસર રીતે લોકોને જમીન પરત કરવાનું કામ કરશે. રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશના બાહુબલી અતીક અહેમદની ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી તેજ કરી છે. સરકારી જમીનો પણ અતીકના કબજામાંથી છોડાવીને તેના પર સરકારી મકાનો બનાવવામાં આવ્યા છે.
કમિશન બનાવવા પર વિચાર
જણાવી દઈએ કે અતીક જમીન પર કબજો કર્યા પછી લોકોને ડરાવતો-ધમકાવતો હતો. અતીકે ધાકધમકી આપી લોકોની જમીન પર કબજો જમાવ્યો હતો. હજુ પણ ઘણા લોકો પોલીસ અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે. હવે યોગી સરકાર એવી યોજના બનાવી રહી છે કે આ તમામ જમીનો અતીક ગેંગના કબજામાંથી મુક્ત કરવામાં આવશે અને તે લોકોને પરત કરવામાં આવશે જેમની પાસેથી આ જમીનો પડાવી લેવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક કમિશનની રચના કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર તેના પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો જે લોકોની પાસેથી અતીકે જમીનો પચાવી પાડી હતી, તે જમીનો તેમને પરત કરી દેવામાં આવશે.

