35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

આજે રાત્રે 8 વાગે અમદાવાદ પહોંચશે પીએમ મોદી, બે દિવસના વતનના પ્રવાશે મોદી


અમદાવાદમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ થઈ રહી છે. આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 8 કલાકે આવી પહોંચશે. બે દિવસ વતનમાં પીએમ મોદી રોકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.

ચૂંટણી સમયે તેમના અનેક પ્રવાસો ગુજરાતમાં થયા હતા. ત્યારે પીએમ મોદી ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે. તેમની એક ઝલક મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. સ્ટેડીયમમાં 1 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ છે. કેમ કે, ગઈકાલ સુધીમાં પ્રથમ દિવસ માટે 80 હજાર ટિકિટો બુક થઈ ગઈ હતી.

સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્ટ્રેલિયાના વડાપ્રધાનધાન મેચ નિહાળશે. નમો સ્ટેડિયમમાં તેઓ બન્ને દિગ્ગજો લેશે ત્યારે તમામ પ્રકારની સુરક્ષાને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે.કોઈ પણ દર્શક પાણીની બોટલ અથવા બીજું કંઈપણ સ્ટેડિયમ લઈ જઈ શકશે નહીં. પોલીસે હેન્ડ મેટલ ડિટેક્ટર સાથે સ્કેન કરવા માટે ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર પણ તૈયાર કર્યો છે. આ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ ઉપસ્થિત રહેશે.

9 માર્ચે નિહાળશે મેચ

તે રાત્રે 8 વાગ્યે આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યારબાદ રાત્રે ગાંધીગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 10 કલાકે મેચ જોવા માટે જશે. જેમીન સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજર રહેશે. બન્ને દિગ્ગજો કોમેન્ટ્રી પણ કરી શકે છે. બન્ને દેશોમાં ક્રિકેટની લોકચાહના ખૂબ જ છે. ત્યારે મોદી સ્ટેડીયમ ક્રિકેટનું સાક્ષી રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -