વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રિપુરાના અગરતલામાં સ્વામી વિવેકાનંદ મેદાનમાં જાહેર સભામાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ-ડાબેરીઓ ત્રિપુરાને તબાહ કરી દેશે, અહીં પૂર્ણ બહુમતીવાળી સરકારની જરૂર છે. પીએમે કહ્યું કે, મને આ ચૂંટણીમાં જ્યાં પણ જવાની તક મળી છે, મેં જોયું છે કે ત્રિપુરાના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. પીએમ મોદીએ અગરતલામાં રોડ શો પણ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, અમે ત્રિપુરામાં શાંતિ અને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોના ઝંડા દેખાય છે, અગાઉના સમયમાં જ્યારે માત્ર એક જ પક્ષ હતો. ડબલ એન્જિન સરકાર માટે તમારો સાથ જોઈને મારી ખુશી પણ બમણી થઈ ગઈ. ત્રિપુરાના યુવાનો, માતાઓ અને બહેનોએ ફરી એકવાર ચંદાની કંપનીને ‘રેડ કાર્ડ’ બતાવ્યું છે. ત્રિપુરાના લોકોએ જાહેર કર્યું છે કે તેઓને સૌનો સાથ, સૌનો વિકાસવાળી સરકાર જોઈએ છે.
“તારો એક દીકરો દિલ્હીમાં બેઠો છે”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, વર્તમાનમાં વાતાવરણ ભાજપની તરફેણમાં છે કારણ કે ત્રિપુરાની જનતા વિકાસ જોઈ રહી છે. આજે ત્રિપુરામાં એવો કોઈ પરિવાર નથી કે જેની ભાજપ સરકારે સેવા ન કરી હોય. આ વખતે પણ ત્રિપુરાના લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. ત્રિપુરાના લોકોએ ફરી એકવાર ભાજપને જીતાડવાનું મન બનાવી લીધું છે. તમારો એક દીકરો દિલ્હીમાં બેઠો છે, જે દરેક માતાના દુ:ખને સમજે છે.”
ડાબેરીઓએ ત્રિપુરાના લોકો સાથે ગુલામ જેવું વર્તન કર્યું હતું”
ડાબેરીઓ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાનું શાસન વિકાસની પ્રથમ શરત છે. ડાબેરી શાસને ત્રિપુરાને વિનાશના માર્ગે ધકેલી દીધું હતું. ત્રિપુરાના લોકો અહીંની સ્થિતિને ક્યારેય ભૂલી શકતા નથી. ડાબેરીઓ ત્રિપુરાના લોકોને પોતાના ગુલામ માનતા હતા. હવે ત્રિપુરામાં ભાજપનું હીરા મોડલ ચાલી રહ્યું છે.

