ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી હતી.જેમાં 11 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયાં છે..
આગના પગલે સમગ્ર બિલ્ડીંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.. આશીર્વાદ બિલ્ડિંગમાં લાગેલી આગ દૂરથી દેખાતી હતી.
ધનબાદના એસએસપી સંજીવ કુમારે કહ્યું હતું કે આ આગમાં 15 લોકોના મોત થયા છે જ્યારે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ડીસી ધનબાદ સંદીપ કુમારે ફોન પર પુષ્ટિ કરી કે કુલ મૃત્યુઆંક 15 છે, જેમાં 11 મહિલાઓ, 3 બાળકો અને 1 પુરુષનો સમાવેશ થાય છે.

