26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે.


સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં “Recent Trends on Applied Statistics & Data Science ” In the memory of 100th Birthday of Prof. M.N. Das વિષય પર ર૮-૨૯, જાન્યુઆરીના રોજ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીસર્ચ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ એકઝીકયુટીવ ડાયરેક્ટર આર.બી. બર્મન, ICMR, દિલ્હીના એડીશનલ ડાયરેક્ટર જનરલ પદ્મ સિંઘ, ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટિટ્યુટ, કોલકતાના પૂર્વ પ્રોફે. બીકાસ સિન્હા, IASRI, દિલ્હીના કન્સલ્ટન્ટ એડવાઈઝર એ.કે. નીગમ કી-નોટ સ્પીકર તરીકે તથા સમગ્ર ભારતમાંથી જુદા જુદા વિષય નિષ્ણાંતો આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિભાગીઓને માર્ગદર્શન આપશે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ ભાગ લેશે.રાષ્ટ્રીય કોન્ફરન્સનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સની સફળતા માટે પ્રોફે. કિશોરભાઈ આટકોટીયા, ડો. દિશા રાંક તથા ડો. મયુર સવસાણી સહિતના કાર્યરત છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -