ભારતે રાજસ્થાનના અજમેરમાં સુફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લેવા ૨૪૯ પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી કે, ધાર્મિક બાબતો અને આંતર-ધાર્મિક સંવાદિતા મંત્રાલયના પ્રવક્તાએ સરકાર સંચાલિત રેડિયો પાકિસ્તાને અહેવાલ આપ્યો કે ૪૮૮ અરજદારોએ વિઝા માટે અરજી કરી હતી,
પરંતુ ૨૪૯ યાત્રાળુઓને વિઝા મળ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે, તમામ શ્રદ્ધાળુઓને લાહોર પહોંચવાની સૂચના આપવામાં આવી છે, જ્યાંથી તેઓ ભારત જવા રવાના થશે. તેમણે કહ્યું કે ભારતમાં રોકાણ દરમિયાન યાત્રાળુઓની દેખરેખ માટે છ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે તેમાંથી માત્ર એકને જ યાત્રાળુઓ સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે.
સપ્ટેમ્બર ૧૯૭૪માં ભારત અને પાકિસ્તાન દ્વારા હસ્તાક્ષર કરાયેલા મંદિરોની મુલાકાત અંગેના પ્રોટોકોલ હેઠળ, બંને દેશો યાત્રાળુઓને મુલાકાત લેવાની મંજૂરી આપે છે. જા કે, એવું જાવામાં આવ્યું છે કે બંને દેશો નિયમિતપણે વિવિધ આધારો પર યાત્રાળુઓને વિઝા આપવાનો ઇનકાર કરે છે.
રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત પાકિસ્તાની યાત્રાળુઓ દ્વારા કરવામાં આવે છે. મહત્વનું છે કે, ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીનો ૮૧૧મો ઉર્સ ૧૮ જાન્યુઆરીથી શરૂ થયો છે.આ વખતે હજારો શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. આ માટે દરગાહ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.પાકિસ્તાનમાં જે રીતે મોંઘવારી રેકોર્ડ બનાવી રહી છે. લોકો લોટ અને ચોખા માટે તરસી રહ્યા છે.ત્યારે પાકિસ્તાન ભારત સામે આશા તરીકે જાઈ રહ્યું છે.
મદદની વાત કરીએ તો તેની જરૂરિયાતો સીધી વાઘા બોર્ડરથી પૂરી થઈ શકે છે. પાકિસ્તાન પણ આ વાત સારી રીતે સમજે છે. આ માટે મદદનું સૌથી મોટું ગેટવે ભારત સાબિત થઈ શકે છે.પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે તાજેતરમાં કહ્યું હતું કે, છેલ્લા ત્રણ યુદ્ધો પછી, પાકિસ્તાને ભારત પાસેથી ઘણા બોધ પાઠ શીખ્યા છે અને હવે અમે શાંતિ ઇચ્છીએ છીએ. આપણે આપણી સમસ્યાઓ હલ કરી શકીએ. શરીફનું નિવેદન જણાવે છે કે પાકિસ્તાન કઈ પરિÂસ્થતિ પહોચી ગયું છે. તેને મજબૂરી કહો કે જરૂરિયાત. પીએમ શાહબાઝ શરીફનું આ નિવેદન સાબિત કરે છે કે પાકિસ્તાનને ભારતની કેટલી જરૂર છે.

