વિદ્યાર્થિનીઓને સક્ષમ બનાવવાના શાળાઓમાં “રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ”નો પ્રારંભ…
વલસાડ જિલ્લાની 542 જેટલી શાળાઓમાં ધો. 6થી 12ની અંદાજે 28 હજાર વિદ્યાર્થિનીઓને પચિંગ, બ્લોકિંગ, જૂડો અને કરાટે જેવી પાયાની સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે.

આ સ્વ-રક્ષણ ની તાલીમ માં સરકાર ના અધિકૃત ટ્રેનરો ધ્વારા પચીંગ, બ્લોકીંગ, રેસલિંગ, જુડો-કરાટે, ફાઈટ-કરાટે જેવી માર્શલ આર્ટ્સની પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવામા આવશે.આ તાલીમ આપવાનો મુખ્ય હેતુ કન્યાઓ પોતાના આત્મ વિશ્વાસ માં વધારો કરી પોતાનો સ્વ બચાવ કરી શકે છે.

આ તાલીમ તમામ શાળાઓમાં આપવામાં આવશે જેનું મોનીટરીંગ સમગ્ર શિક્ષા પ્રોજેકટ્ના અર્બન રિસોર્સ કો ઓર્ડીનેટર (યુઆરસી), ક્લસ્ટર રિસોર્સ કો ઓર્ડીનેટર (સીઆરસી), મદદનીશ જિલ્લા કો ઓર્ડીનેટર – ગર્લ્સ એજ્યુકેશન તથા એડી. જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર દવારા કરવામાં આવશે.
સ્રોત: ગુજરાત માહિતી વિભાગ

